SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રધ સામગ્રીનો અભાવ હોવાથી જેમનો વ્યવહાર–રાશિમાં પ્રવેશ નથી. એવા ભવ્ય છે પણ અનંતા છે કે, જેઓ મોક્ષસુખને પામતા નથી અને પામવાના નથી. ઉપર કહેલા ત્રિવિધ જીવોમાંથી જે અભવ્ય અને જાતિભવ્ય-એ બે રાશના જેવો નિર્મળ શ્રદ્ધાથી રહિત હોવાથી આ આત્મપ્રબંધ ગ્રંથને વિષે અધિકારી નથી. માટે બાકીના ભવ્ય રાશિના જીવો રહ્યા તે જ આ ગ્રંથના અધિકારી છે. તે ભવ્ય જીવો બે પ્રકારના છે. એક આસન્નભવ્ય અને (૨) દૂરભવ્ય તેમાં દૂરભવ્ય કોને કહેવાય? તે કહે છે. જેને અધ પુદગલ પાર્વતનથી અધિક સંસાર હજી વર્તે છે, તે દૂરભવ્ય કહેવાય છે અને જેને અધ પુદ્ગલ પરાવર્તનથી ન્યૂન સંસાર વતે છે, તે આસન્નભવ્ય કહેવાય છે. તેમાં જે દૂરભવ્ય છે, તેમને મિથ્યાત્વને ઉદય પ્રબળ હોવાથી કેટલાક કાળપયત સમ્યક્દર્શનની પ્રાપ્તિનો અભાવ હોય છે. તેથી તેમનું પર્યટન આ સંસાર અટવીમાં ઘણા કાળ રહે છે. એટલે તેમને આત્મબંધને સક્રમમાગ દુલભ થાય છે. અને જેઓ આસન્ન ભવ્ય છે. તેમને કાંઈક ન્યૂન અધ પદગલ પરાવર્તન કાલ હોવાથી આત્મબોધનો સદ્ધર્મમાર્ગ સુલભ થાય છે. વળી તેમને હળવા કમને લઈને તત્વ શ્રદ્ધા સુલભ છે. માટે આસન્નભવ્ય જીવો આ ગ્રંથના અધિકારી છે, તે આસન્નભવ્ય જીવોના ઉપકારને અર્થે આત્મબંધનું કાંઈક સ્વરૂપ નિરૂપણ કરવામાં આવે છે. આત્મા શબ્દનો અર્થ તે તે ભાવને સતતપણે પ્રાપ્ત થાય તે આત્મા કહેવાય છે. (અતતીતિ) આત્મા પિતાના ગુણપર્યાને ગ્રહણ કરવાની જેનામાં શક્તિ છે, તે આત્મા કહેવાય છે.) આત્માના ત્રણ પ્રકાર, તે આત્મા ત્રણ પ્રકારના છે. (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા અને (૩) પરમાત્મા, બહિરાત્માનું સ્વરૂપ, મિથ્યાત્વના ઉદયને વશ થઈ શરીર, ધન, પરિવાર, મંદિર, નગર, દેશ, મિત્ર, અને શત્રુ વગેરે ઈષ્ટ–અનિષ્ટ વસ્તુઓમાં રાગ-દ્વેષની બુદ્ધિને ધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy