SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ કરે છે અને સર્વ અસાર વસ્તુને સારરૂપે જાણે છે. તે પહેલા ગુણઠાણામાં વતનારો જીવ બાહ્યદષ્ટિપણને લઈને બહિરાત્મા કહેવાય છે. અંતરાત્માનું સ્વરૂપ. જે તત્વ શ્રદ્ધા સહિત થઈ કમના બંધ વગેરેનું સ્વરૂપ સારી રીતે જાણે છે. જેમકે આ જીવ આ સંસારને વિષે કર્મબંધના હેતુરૂપ એવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ વડે પ્રત્યેક સમયે કમને બાંધે છે. તે કર્મ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે એ જીવ પિતેજ તેને ભેગવે છે. તેને કોઈ બીજે જીવ સહાય પણ કરતો નથી. આ પ્રમાણે ચિતવે છે અને જ્યારે દ્રવ્ય વગેરે કાંઈક વસ્તુ જાય છે ત્યારે તે આ પ્રમાણે ચિતવે છે. મારો આ વસ્તુની સાથેનો સંબંધ નષ્ટ થયો. મારું ખરૂ દ્રવ્ય તે જ્ઞાનાદિ છે, જે આત્મ પ્રદેશની સાથે સંબંધ ધરાવે છે તે દ્રવ્ય કયાંય પણ જવાનું નથી જ્યારે કાંઈ દ્રવ્ય વગેરેનો લાભ થાય છે. ત્યારે તે આ પ્રમાણે જાણે છે-આ પદગલિક વસ્તુનો સંબંધ મારે થયો છે. તેમાં હર્ષ શે ધારણ કરો ? જ્યારે વેદનીયકમના ઉદયથી કષ્ટ વગેરેની પ્રાપ્તિ થાય ત્યારે તે સમભાવને ધારણ કરે છે. અને આત્માને પરભાવથી ભિન્ન માની તેને ત્યાગ કરવાના ઉપાય કરે છે. અને ચિત્તમાં પરમાત્માનું દયાન કરે છે તેમજ આવશ્યકાદિ ધમ કૃત્યમાં વિશેષ ઉદ્યમવંત થાય છે, તે ચોથા ગુણઠાણુથી બારમા ગુણઠાણું સુધી વર્તનારે જીવ અંતષ્ટિથી અંતરાત્મા કહેવાય છે. પરમાત્માનું સ્વરૂપ જે જીવ શુદ્ધ આત્મસ્વભાવને પ્રતિબંધ કરનારા કર્મ શત્રુઓને હણી અને નિરૂપમ કેવળજ્ઞાનાદિકની ઉત્તમ સંપત્તિને પ્રાપ્ત કરી સર્વ પદાર્થોના સમૂહને હથેળીમાં રહેલ આમળાની જેમ અથવા હથેળીમાં રહેલ નિર્મળ જળની જેમ જાણે અને જુએ. તેમજ પરમ આનંદના સંદેહથી સંપન્ન થાય તે તેરમા અને ચૌદમાં ગુણઠાણામાં રહેલ આત્મા તથા સિદ્ધાત્મા (શુદ્ધસ્વરૂપપણે) પરમાત્મા કહેવાય છે. આત્મબોધ શબ્દનો અર્થ બોધન એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન તે બેધ, આત્મા કે જેનું લક્ષણ આગળ કહેવામાં આવશે, એવો ચેતન અને તેનાથી અભિન્ન સમ્યકત્વાદિ ધર્મ તેને બેધ, તે આત્મબોધ તેને પ્રતિપાદન કરનારે ગ્રંથે તે ઉપચારથી આત્મબેધ કહેવાય છે. એવી રીતે આત્મબોધ શબ્દનો અર્થ કહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy