SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૨૦૩ ઘણા જ ધાયલ થઈ ગયા, ધાયલ થયેલા વંકચૂલ તેવી જ સ્થિતિમાં ઉજ્જયિની નગરીમાં આવી પહોંચ્યા. વ'કચૂલની આવી સ્થિતિ જોઈ રાજાના હૃદયમાં ચિંતાની પીડા ઉત્પન્ન થઈ આવી. તત્કાલ તેણે ઘણા વધીને ખેાલાવી તેની ચિકિત્સા કરાવી; પણ વંકચૂલના ઘા રૂઝાયા નહીં. રાજાએ પછી પેાતાના વૈદ્યોને ક્રોધ લાવીને કહ્યું, ‘તમે વંકચૂલને શા માટે સાન્તે કરી શકતા નથી ! તમારે તેને જલ્દી સાજો કરવા. વૈદ્યોએ કહ્યુ, મહારાજ, તેને માટે હવે એક ઉપાય છે કે, જો તે કાગડાનું માંસ ખાય તે તેના શરીરના ઘા રૂઝાઈ જાય.’ આથી રાજાએ વ’કચૂલને આલિંગન કરી અશ્રુષાત કરતાં કહ્યું, · વત્સ ! તારી પીડા દૂર કરવા માટે વૈદ્યોએ ઘણા ઉપચાર કર્યાં, પણ તારા ઘા રૂઝાયા નહીં, હવે કાગડાનુ` માંસ ખાવાને ઉપાય બાકી છે, તે તુ કર એટલે તારા શરીરની પીડા દૂર થઇ જાય, વ...કચૂલે કહ્યુ', · સ્વામી ! ' સર્વથા માંસ ભક્ષણથી નિવૃત્ત થયા છું. તેમાં ખાસ કરીને કાગડાનું માંસ ન ખાવાને મે' નિયમ કર્યાં છે; તેથી હું મારે નિયમ તેાડીશ નહીં. રાજા બાલ્યા, વત્સ ! એ જીવતાં રહેવાય તેા ઘણા નિયમા લઈ શકાશે અને મૃત્યુ પામ્યા પછી તે બધા નિયમા ચાલ્યા જશે. માટે જીવન રાખવા તુ” કાગડાનું માંસ ભક્ષણ કર.' રાજાનાં આવાં વચન સાંભળી વકચૂલ ખેલ્યા, ‘સ્વામી! હવે મારે જીવવાની જરાપણ તૃષ્ણા નથી. કારણ કે, એકવાર અવશ્ય મૃત્યુ તેા થવાનુ જ છે, તેથી આ પ્રાણ ભલે જાય, પણ હું અકૃત્ય નહીં કરું.’ આ વખતે રાજાએ પેલા શાલીગ્રામવાસી જિનદાસ શ્રાવક કે જે વકચૂલના પરમ મિત્ર હતા, તેને બેલાબ્યા. રાજાના બેાલાવવાથી જિનદાસ તત્કાલ વ...કચૂલને મળવાને માર્ગે ચાલી નીકળ્યા. તે રસ્તામાં આવતા હતા. તેવામાં કાઇ બે દેવીએ રૂદન કરતી તેના જોવામાં આવી. જિનદાસ તેમની પાસે આવ્યે અને તેણે તે દેવીઆને પૂછ્યું, ‘તમે કાણું ? અને શા માટે રૂદન કરે છે ? તે સ્રીએ બેલી, ‘ અમે સુધર્મ દેવમાં રહેનારી દેવીએ છીએ. અમારે સ્વામી દેવલાકમાંથી ચ્યવી ગયા, તેથી તેના વિરહથી અમે વિહ્વળ બની વંકચૂલ નામના એક ક્ષત્રિય ભર્તારને પ્રાથવા ઇચ્છીએ છીએ. આજે તે તમારા વચનથી જો તેના નિયમ ભાંગરો તે તે સત્વર દુર્ગતિએ જશે. તેથી અમારેતેને! પાછે વિયોગ થશે. આથી અમે રૂદન કરીએ છીએ.' તે અને દેવીએનાં આ વચન સાંભળી જિનદાસે કહ્યું, તમે રૂદન કરશેા નહીં, જેમ તમારૂં ઇષ્ટ થશે તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy