SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી આત્મ પ્રબંધ હું કરીશ. આ પ્રમાણે તે દેવીઓને આશ્વાસન આપી જિનદાસ ઉજ્જયિની નગરીમાં આવ્યો. તે રાજાના મંદિરમાં ગયા અને રાજાને મળે. પછી તેણે વંકચૂલ આગળ આવી તેનું કુશળ પૂછી ઔષધના ઉપાય માટે પૂછયું, તે વખતે રાજાએ તેને સર્વ વૃત્તાંત કહ્ય. વંકચૂલને કાગમાંસ ન ખાવાના નિયમમાં અતિ દઢ જોઈ અને તેનું શરીર અત્યંત જરીભૂત થયેલું દેખી તેણે રાજાદિ સવની સમક્ષ આ પ્રમાણે કહ્યું, “આ મારા મિત્ર વંકચૂલને ધમ તે જ ઔષધ છે, માટે બીજુ કોઈપણ ઔષધની પ્રવૃત્તિ કરવી નહીં.” મિત્રનાં આવાં વચનો સાંભળી વંચેલે કહ્યું, મિત્ર, તમે કહ્યું, તે યોગ્ય છે. હવે મારે તમને વિશેષમાં કહેવાનું કે જે તમે મારી ઉપર પૂર્ણ સ્નેહ રાખતા હો તે આળસને દૂર કરી મને આ છેલ્લે અવસર કાંઈક સંબલ આપે. વંકચૂલની આ માંગણી ઉપરથી જિનદાસે તેને સમ્યક પ્રકારે આરાધના કરાવી. તેથી વંકચૂલ ચાર આહારના પચ્ચકખાણ કરી અને ચાર શરણને અંગીકાર કરી પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતે, તથા સર્વ જીવોને વિષે નિરપણાને ધારણ કરતો, પૂર્વના કરેલાં પાપને નિંદતો અને સુકતને અનુદતો સમાધિપૂર્વક કાળ કરી બારમા દેવલેકે દેવતા થયો. તે પછી જિનદાસ વંકચૂલની મરણક્રિયા કરી શેક કરતો પિતાને ઘેર ચાલતો થયો. તે રસ્તે જતું હતું, ત્યાં માગે પેલી બે દેવીઓને રૂદન કરતી જોઇ તેણે પૂછયું, “ભદ્ર! હજુ શા માટે રૂદન કરે છે ? તે અખંડિત વ્રતવાળા થઈ મૃત્યુ પામી દેવલોકમાં તમારે સ્વામી ન થયે?” તે દેવીઓએ નિઃશ્વાસ નાંખીને કહ્યું, “હે નિર્મલાશય જિનદાસ, તમે શું પૂછે છો ? અમારે તો તે અમારા સ્વામીને વિગ જ રહ્યો. કારણ કે તેઓ પરિણામની વિશુદ્ધિથી અમોને ઓળંગીને બારમે દેવેલેકે ગયા. પછી જિનદાસ ત્યાંથી પોતાને સ્થાને ચાલ્યો ગયો. એ પ્રમાણે વંકચલનું વૃત્તાંત કહેવાય છે. આ વૃત્તાંત ઉપરથી થોડાપણ અભક્ષ્ય ભક્ષણના નિયમનું મહાફળ જાણીને ભવ્ય પ્રાણીઓએ વિશેષથી નિયમ પાળવામાં તત્પર થવું. આ પ્રમાણે ભજનને આશ્રીને ભેગો પગ ત્રતનું સ્વરૂપ કહ્યું. હવે કર્મને આશ્રીને કહે છે-- ૧. ભાતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy