SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રી આત્મ પ્રધ આ વખતે પોતાની રાણીને દુરાચાર પ્રત્યક્ષ જોઈ રાજા મનમાં ચિતા કરવા લાગ્યું અને તે ચિંતામાં તેણે જાગૃતપણાથી જ મહાકણે રાત્રિ નિગમન કરી. પ્રાતઃકાળે રાજસેવકે તે ચોરને બાંધી રાજાની આગળ સભામાં લાવ્યા. રાજાએ આક્ષેપથી વંકચૂલને, સત્ય કહેવાને કહ્યું, એટલે વંકચૂલે રાત્રિને સર્વ વૃત્તાંત જે બન્યો હતો, તે સાચે સાચો કહી સંભળાવ્યા અને રાણીએ પિતાને મધુર વાણુંથી કેટલાંક વચનો કહ્યાં હતાં, એમ ગુપ્તપણે તે વાત જણાવી. આથી રાજા વંકચૂલની ઉપર સંતુષ્ટ થઈ ગયું. તેને બંધમાંથી મુક્ત કરી રાજાએ આલિંગન કર્યું અને આ પ્રમાણે કહ્યું, “હે સત્પરૂષ, તમારા સાહસથી હું તમારી ઉપર સંતુષ્ટ થયો છે. માટે મારી પટરાણી હું તમને અપણ કરું છું. વંકચૂલ બોલ્યો, “સ્વામી ! આપનાં પટરાણી એ મારી માતા છે. આપે એવું વચન ન બોલવું. તે પછી રાજાએ ધમકી આપીને કહ્યું કે, “જો તું રાણીને ગ્રહણ કરીશ નહીં તે હું તને શૂળીએ ચડાવીશ.” વંકચૂલ આવી ધમકીથી પણ ડગ્યો નહીં. વંકચૂલને આમ અચલ અને દઢ જોઈ રાજા તેની ઉપર ઘણો જ તુષ્યમાન થઈ ગયો અને તે જ વખતે તેને પિતાના પુત્રના પદ ઉપર સ્થાપી દીધો. પછી રાજા પિતાની દુરાચારિણી રાણીને હણવા ઇચ્છતો હતો, તેને વંકચૂલે કેટલાએક વચને કહી જીવતી રખાવી હતી. તે પછી વંકચૂલે પિતાની સ્ત્રી અને બહેનને ત્યાં બેલાવી તે ઉજજયિની નગરીમાં સુખે રહ્યો હતો. ત્યારથી તેને ધમ ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયા અને તેથી તેણે પિતાના હૃદયને જૈનધર્મને વિષે અનુરક્ત કર્યું. પેલા આચાર્ય મહારાજાએ આપેલા નિયમોને નિરંતર સંભારતો વંકચૂલ યથાશક્તિ ધમ ઉપર શ્રદ્ધાવાળો થયો હતો. એક દિવસે વંકચૂલના ભાગ્યોદયથી તે આચાર્ય ભગવાન તે જ નગરીમાં પધાર્યા. તે ખબર જાણી વંકચૂલ મોટા આડંબરથી તેમને વંદના કરવાને ગયો. આચાર્ય પાસેથી ધર્મનું શુદ્ધ સ્વરૂપ સાંભળી તેણે તવરૂચિરૂપ સમ્યકત્વ અંગીકાર કર્યું હતું. આ અરસામાં તે ઉજયિની નગરીની સમીપ આવેલા શાલિગ્રામ ગામના રહેવાસી જિનદાસ નામના શ્રાવકની સાથે વંકચૂલને મંત્રી થઈ હતી. તે જિનદાસ શ્રાવક ઉપર વંકચૂલને ઘણું જ સ્નેહ થયે હતો. એક સમયે રાજાએ અતિ દુય એવા કામરૂપ દેશના રાજાને જીતવા માટે વંકચૂલને આજ્ઞા કરી વંકચૂલે રાજાની આજ્ઞાથી કામરૂપ દેશમાં જઈ ત્યાંના રાજા સાથે યુદ્ધ કરી તેને પરાજિત કર્યો, પરંતુ શત્રુઓનાં શસ્ત્રોથી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy