SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૨૦૧ આવું વિચારી તે વનમાંથી એક છે લાવ્યું. તેને રાજાના ઘરના કિલ્લા ઉપર ઍટાડી, તેના પૂછડા સાથે વળગી રાજાના મહેલમાં દાખલ થયો. ત્યાં અદ્દભુત રૂપને ધારણ કરનારી રાજાની પટરાણી તેના જેવામાં આવી. તે સમયે જાગૃત થયેલી રાણીએ તેને જોયો અને આ પ્રમાણે પૂછયું, ‘તું કોણ છે? અને અહીં શા માટે આવ્યો છે ?’ વંકચૂલે કહ્યું, “હું ચોર છું અને બહુ પ્રકારનાં મણિ તથા રત્નાદિક દ્રવ્યની ઈચ્છાથી અહીં આવ્યો છું.” આ વખતે વંકચૂલનું રૂપ જોઈ રાજાની રાણી તેની પર મોહિત થઈ ગઈ. તેણીએ કમળ સ્વરથી આ પ્રમાણે કહ્યું, “ભદ્ર! દ્રવ્યની વાર્તા છે ? આ બધું તમારું જ છે. કોઈ જાતનો ભય રાખશે નહીં. સ્વસ્થ થાઓ. આજે તમારા કુળદેવતા તમારી ઉપર તુષ્યમાન થયા છે. કારણ કે, હું રાજાની પટરાણું તમારે વશ થઈ ગઈ છું. આજે મેં મારા સૌભાગ્યના ગવથી રાજાને રીસાવ્યો છે, તેથી તમે અહીં આવો અને તમારા યૌવનને સફળ કરે. સંતુષ્ટ થતાં માણસોને અર્થ કામ સુલભ છે. મારો સંતોષ હશે તો તમારે વધે કે બંધ થશે નહીં.” આ પ્રમાણે પટરાણીએ તે વંકચૂલને કામગ્રહથી લેભાવ્યો અને ક્ષાભ પમાડ્યો. તે પણ વંકચૂલ પોતે અંગીકાર કરેલા નિયમનું સ્મરણ કરી રાણીને નમી આ પ્રમાણે છે, માતા ! તમે મારાં પૂજ્ય છે. મારા જેવા એક વનવાસી તસ્કર તરફ તમારે સ્પૃહા કરવી યોગ્ય નથી.” પટરાણી બેલી, “અરે વાચાલ, હું તારી સાથે કામની અભિલાષી છું, તેને તું માતા કહીને બેલાવતા કેમ શરમાતો નથી ? જે તું મારું વચન માનીશ નહીં તો આજે તારી ઉપર યમરાજ રૂક્યો સમજજે. આ પ્રકારે રાણીએ ઘણાં વચનો યુક્તિથી કહ્યાં, તો પણ તે વંકચૂલ જરા પણ ક્ષોભ પાપે નહીં. પછી તે રાણી કીધાતુર થઈ અને નખે કરી પિતાનું શરીર ઉજરડી ઉંચે સ્વરે પિકાર કરવા લાગી.” આ તરફ રાજા તે રાણીવાસના ગૃહના દ્વાર આગળ છૂપી રીતે ઉભે રહી આ સર્વ વૃત્તાંત સાંભળતો હતો. જ્યારે રાણીએ પોકાર કરવા માંડ્ય એટલે દ્વારપાળે જાગી ઉઠયા અને ઉઘાડાં શસ્ત્રો લઈ દોડી આવ્યા. તે વખતે રાજાએ તે લોકોને અટકાવીને કહ્યું, આ ચાર નિરપરાધી છે, માટે તેને મારશો નહીં. માત્ર જરા બાંધીને લઈ જજે અને સવારે મારી આગળ સભામાં લાવજે.” દ્વારપાળાએ રાજાની આજ્ઞા પ્રમાણે કર્યું. તે ચોરને પકડી બાંધીને લઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy