SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ २०० શ્રી આત્મ પ્રબંધ હેનને ઓળખી શરમાઈ ગયો. પોતાના ખડ્ઝની સાથે કેધને સંવરી તેણે પિતાની બહેનને પુરુષ વેષ ધરવાનું કારણ પૂછયું. વંકચૂલા બેલી–“ભાઈ, આજે સંયાકાળે તમારા શત્રુના સેવકે નટનો વેશ ધારણ કરીને અહીં આવ્યા હતા. હું તેમને કપટ વેષ જાણું ગઈ હતી. તે વખતે મેં ચિંતવ્યું કે, ભાઈ વંકચૂલ બહાર ગયા છે. તે ક્યાં છે, એની મને ખબર નથી. જે આ લેકના જાણવામાં આવશે કે વંકચૂલ પરિવાર સહિત બહાર ગયેલ છે, તો તેઓ આ પલ્લીને અનાથ ધારી પરાભવ કરવાને આવશે. માટે કોઈ ઉપાય કરો. આવું ચિતવી મેં રાત્રે કપટથી તમારો વેશ પહેર્યો અને પછી સભામાં તે નટ લેકોની પાસે નાટક કરાવી, તેમને યોગ્યતા પ્રમાણે દ્રવ્ય આપી વિદાય કર્યો. પછી આળસથી મેં તમારે વેષ કાર્યો નહીં અને તે વેશ સાથે મારી ભેજાઇની સાથે સૂઇ ગઈ હતી. પોતાની બહેનના મુખથી આ વૃત્તાંત સાંભળી વંકચૂલ પિતાના મનમાં વિચારવા લાગ્યો કે, “અહા ! ગુરુના ઉપદેશનો કેવો મોટો લાભ મળ્યો? મને તે ગુરુની વાણીએ બહેનની હત્યાના પાપમાંથી બચાવ્યું.” આ પ્રમાણે તેણે ગુરુવાણીની બહુ પ્રશંસા કરી. એક વખતે વંકચૂલ ચોરી કરવા માટે ઉજજયિની નગરીમાં ગયો. ત્યાં અર્ધી રાત્રે કે ધનવાન શેઠના ઘરમાં ચોરી કરવાને પેઠો. તેવામાં ત્યાં તે ગૃહનો સ્વામી શેઠ એક કડીનો ખર્ચ વધારે થવાની ભ્રાંતિથી પોતાના પુત્રની સાથે વાદ-વિવાદ કરતો તેના જવામાં આવ્યો. તે જોતાંજ વંકચૂલને મનમાં તિરસ્કાર ઉપજે કે આવા શેઠના ધનને ધિક્કાર હો. પછી તે ત્યાંથી ચોરી કર્યા વિના પાછો ફર્યો. પછી કઈ બ્રાહ્મણના ઘરમાં પેઠો. લોકોની પાસે થોડું થોડું ચાચી સંપત્તિને પામેલા એવા બ્રાહ્મણનું ધન લઈને શું કરવું ? એમ ચિતવી તેનું ઘર પણ છોડી ચાલ્યો ગયો. પછી તે કોઈ વેશ્યાના ઘરમાં પડે. “પોતાના રમણીય શરીરવડે કુછી નરને પણ સેવનારી વેશ્યાનું ધન લેવું, એતો વિશેષ નિંદનીય છે; માટે મારે એનું ધન પણ શા માટે લેવું જોઈએ !” આમ વિચારી તેણે વેશ્યાનું ઘર પણ છોડી દીધું. તે પછી તે રાજાના ઘર આગળ આવ્યો. ત્યાં તેણે ચિંતવ્યું કે, શૌર્ચમાવતે તરે છુંટથā વરુ પૂતિઃ II #જિતે ધનમક્ષામન્યથાપિ વિર ચશઃ ' " ? . જે ચોરી કરવી તે રાજાને જ લુંટવો, કારણ કે જે કામ સફળ થાય તો અક્ષય ધન મળે અને નહીં તે લાંબા કાલનું મોટું યશ મળે.” ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy