SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ વચૂલની કથા. આ ભરતક્ષેત્રને વિષે વિમલ નામે રાજા હતા. તેને સુમ`ગલા નામે સ્ત્રી હતી. બન્ને દંપતીથી બે સંતાનેા ઉત્પન્ન થયાં. તેમાં પુષ્પસૂલ નામેએક પુત્ર અને પુષ્પચૂલા નામે એક પુત્રી હતી. તે બંને અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયાં. રાજકુમાર પુષ્પસૂલને એક સુ...દર રાજકન્યા સાથે પરણાવ્યેા. રાજકન્યા પુષ્પચૂલાને કાઈ ઉત્તમ રાજકુમારની સાથે પરણાવી. રાજકન્યા પુષ્પચૂલા વિવાહિત થયા પછી થાડાજ વખતમાં વિધવા થઈ. આથી રાજા વિમલ અને સુમ ગલા રાણી ઘણા જ દુ:ખી થઈ ગયાં. વિધવા થયેલી પુષ્પચૂલા તેના ભાઈ પુષ્પચૂલ ઉપર અતિ પ્રેમ રાખતી હતી. ભ્રાતૃસ્નેહને લઈને પેાતાના પિતાને ઘેર રહેતી હતી. શ્રી આત્મ પ્રોધ રાજકુમાર પુષ્પલ ચારી વગેરે દુર્વ્યસનેામાં પડી ગયા; તેથી તે નગરના લાકાને અતિશય પાડવા લાગ્યા. આ દુર્વ્યસનને લઈને લેાકેામાં તે વ'કચૂલના નામથી એળખાવા લાગ્યા. તેની બહેન પુષ્પચૂલા પણ તેના જેવી જ બુદ્ધિવાળી થઇ, તેથી તે વ'કચૂલાના નામથી લોકોમાં વિખ્યાત થઇ. વંકચૂલ નગરજનાને અત્યંત પીડતા હતા. તેની ઘણી ફરીયાદેા રાજાના સાંભળવામાં આવી. આથી રાજા તેની ઉપર રાષાતુર થઈ ગયા અને તેણે વ'કચૂલને પેાતાના રાજ્યની હદમાંથી કાઢી મૂકયા. તેની બહેન વ'કચૂલા અને તેની સ્ત્રી તેના પ્રેમને લઈને પાછળ ચાલી નીકળી. વકચૂલ પેાતાની બહેન અને સ્ત્રીને સાથે લઇ જ`ગલમાં ભમવા લાગ્યા. કોઈ એક ભયકર અટવીમાં તે આવી પહેાંચ્યા, તેવામાં કાઇ ધનુર ભિલ્લે તેને જોયા, તે ભિલ્લુ આકૃતિથી તેને રાજપુત્ર જાણી બહુ માનથી પેાતાની પલ્લીમાં રાખ્યા. તેણે આદરથી તેને વૃત્તાંત પૂછયા, વંકચૂલે તેને પેાતાને વૃત્તાંત કહી સભળાવ્યેા. તેના વૃત્તાંત જાણી તે ભિલ્લની તેની ઉપર ઘણી પ્રીતિ થઇ. તે સમયે ત્યાં મૂલ પલ્લીપતિ મરણ પામેલા હતા, તેથી તેના સ્થાન ઉપર વ’કચૂલને સ્થાપવામાં આવ્યે વંકચૂલ એક મોટા ભિલ્લ રાજા બની ગયા. તે ભીલડીએની સાથે રહેવા લાગ્યા અને ભીલાની સાથે લેાકેાને લુંટતા તે સ્થળે સુખે કાળ નિગમન કરવા લાગ્યા. એક વખતે વર્ષાઋતુને સમય આવ્યેા. તેવામાં ચદ્રયશા નામના એક આચાય કેટલાએક મુનિએના પરિવારના સાથમાંથી જુદા પડી ગયેલા હેાવાથી ભૂલા પડી તે પલ્લીમાં આવી ચડ્યા. તે આચાય પેાતાના આચારમાં સારી રીતે વનારા હતા, તેથી વર્ષામાં નિર'તર નવા ઉત્પન્ન થયેલા અંકુરાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy