SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી આત્મ પ્રબોધ ઉઠીને પોતાને સ્થાને ગયે. અને ત્યાં જઈ લેહ વગેરેના સાત એકેદ્રિય રત્નો બનાવ્યા. પિતાની પદ્માવતી સ્ત્રી ઉપર સ્ત્રીરત્નની કલ્પના કરી. પોતાના પટ્ટહાથીને ગજરત્ન ઠરાવ્યું. બાકીના રત્નો પણ એવી રીતે બનાવી દીધા. પછી તે પોતાની મોટી સેના લઈ પૂર્વાદિ દિશા તરફ અનુક્રમે ફરવા નિકળે. તે મોટા સૈન્યથી પરિવૃત્ત થઈ વૈતાદ્યપર્વતની તિમિશ્રા–ગુહા આગળ આવ્યા. ત્યાં તેણે બનાવટી દંડરત્નથી તાડના કરી પણ તે ગુહાનાં દ્વાર ઉઘડ્યાં નહીં. તે વખતે તે ગુહાનો દ્વારપાલ કૃતમાલ દેવ અત્યંત કે ધાતુર બની ત્યાં પ્રગટ થયો અને બોલ્યો, અરે ! નહીં પ્રાર્થના કરવા લાયક એવો તું પ્રાર્થના કરનાર કોણ છે? અહિંથી ચાલ્યો જા. બંખારા ખાઈ કાનની શા માટે કદથના કરે છે?' કેણિક રાજાએ કહ્યું, “હું ભરતક્ષેત્રને વિષે અશચંદ્ર નામે ચક્રવતી થયો છું તેથી તું આ ગુહાનું દ્વાર સત્વર ઉઘાડ.' દેવ હાસ્ય કરીને બોલ્યા, અરે કણિક ! આ ભરતક્ષેત્રને વિષે બાર ચક્રવર્તી થાય છે, તે બધા થઈ ગયા છે. તેથી તું ચક્રવર્તી નથી પણ કોઈ ચકવાલો લાગે છે.’ અશોકચંદ્ર બેલ્યો, “દેવ, તને ખબર નથી, હું મારા પુણ્યના બલથી તેરમો ચક્રવર્તી થયો છું. માટે તું દ્વાર ઉઘાડ અને વિલંબ કરી મને ખેદ ન પમાડ. અશેકચંદ્રનાં આવાં આગ્રહી વચન સાંભળી અને જાણે તેનામાં ભૂતને આવેશ થયે હોય તેમ જાણી તે ધાતુર બની ગયો. તત્કાલ તેનામાંથી જાજ્વલ્યમાન અગ્નિની છાયા પ્રગટ થઈ અને તેથી તેણે દગ્ધ કરી છઠી નરકને અતિથિ કરી દીધો હતો. આ પ્રમાણે અશોકચંદ્રની કથા કહેવાય છે. આ વૃત્તાંત સાંભળી બીજા ભવ્ય મનુષ્યોએ દિશિપરિમાણ વ્રતનો અનાદર ન કરવો. જે તે વ્રતને અનાદર કરવામાં આવે તો અશેચંદ્રની જેમ આ લોકના કષ્ટને પામી પરભવમાં નરકની પીડા ભેગવે છે. તેથી તે વ્રતને ગ્રહણ કરવામાં આળસ કરવી નહીં. તેની ભાવના આ પ્રમાણે છે. ‘चिंतेअव्वं च नामो, साहणं जे सया निरारंभा । बिहरंति विप्पमुक्का, गामागर मंडिअं वसुहं' ॥ १ ॥ જેઓ હંમેશા આરંભ રહિત અને મુક્ત થઈ ગ્રામ, આકર (ખાણ)થી મંડિત એવી આ પૃથ્વીમાં વિહાર કરે છે, તેવા સાધુઓને નમસ્કાર હો, એમ ચિતવવું.” ૧ આ પ્રમાણે છ દિશિ પરિમાણ નામે પહેલું ગુણવ્રત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy