SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ દ્વિતીય પ્રકાશ તે રાજા અશેકચંદ્ર નરકમાં પડત નહીં.'! ૧ અર્થા–તપાવેલા લોઢાના ગેળા જેવા ગૃહસ્થ આ પૃથ્વીમંડલ પર ભ્રમણ કરવાના નિષેધ કરવારૂપ આ વ્રતવડે ગૃહસ્થ એવી ભાવના કરવી કે, આ દિશિપરિમાણ વ્રત દયારૂપ વેલડીનું બીજ છે. રાજા અશોકચંદ્રની કથા. ચંપાનગરીમાં શ્રેણિક રાજાને પુત્ર અશચંદ્ર નામે રાજા હતા. જ્યારે તેનો જન્મ થયો, ત્યારે તેની માતાને દુઃસ્વપ્ન આવવાથી, તેણીએ તે પુત્રને બહાર મૂકેલો, તેવામાં એક કુકડીએ આવી તેની આંગલી કરડી ખાધી હતી. આથી તે રાજા કેણિકના નામથી પણ ઓળખાતો હતો. એક વખતે શ્રી વીરપ્રભુ તે ચંપાનગરીમાં સમેસર્યા. તે સમયે જંગમ કલ્પવૃક્ષ સમાન તે પ્રભુનું આગમન સાંભલી રાજા અશોકચંદ્ર મોટા ઉત્સવ સાથે તેમને વંદના કરવાને ગયો. વીરપ્રભુએ ધર્મદેશના આપી. દેશના સમાપ્ત થયા પછી અશોકચંદ્ર પ્રભુને આ પ્રમાણે પૂછયું, “હે સ્વામી ! જેણે ભેગને ત્યાગ કર્યો નથી, એ ચક્રવર્તી મૃત્યુ પામીને કઈ ગતિમાં જાય છે?' પ્રભુ બેલ્યા, “તેવો ચક્રવતી પ્રાયે કરીને સાતમી નરકે જાય છે. અહિં પ્રાય શબ્દ ગ્રહણ કરવાથી ચક્રવર્તીની સાતે નરકની ગતિ સમજવી, એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે. રાજા અશચંદ્ર પુનઃ પુછયું, “ત્યારે શું મારે પણ સાતમી નારકીએ જવું પડશે?' સ્વામીએ કહ્યું, “રાજા તું ચક્રવર્તી નથી, તેથી તારે સાતમી નરકની ગતિ કયાંથી હોય ? તું તો છઠી નરકે જવાને છું.” રાજા કેણિક પિતાને ચક્રવર્તી માનતો હતો, તેથી તે બોલ્યા, “સ્વામી, હું ચકવર્તી નથી, એમ મનાય? કારણ કે, મારી સેના એટલી બધી છે કે, જે લાખે હાથી, અશ્વ, રથ અને કેટીગમે સુભટથી આખા જગતને સંહાર કરવાને સમર્થ છે. તેમજ ઘણું સંબોધન (ખલાં), દ્રોણમુખ પાટણ, ખેટક કર્બટ, નગરાદિ અને ખાણ મને દાણ આપનારા છે. તેમજ વ્યાપારના કરે. અક્ષય નિધાનો પણ મારા તાબામાં છે. મારો પ્રતાપ ઘણે ભયંકર છે; તે સર્વ શત્રુ વર્ગને આક્રમીને રહેલો છે. મારે શું ઓછું છે કે જેથી મારામાં ચક્રવર્તીપણું ન હોય ? રાજાનાં આ વચનો સાંભળી પ્રભુ બોલ્યા, “રાજનું, એટલી સમૃદ્ધિ હોય તેથી શું થયું? ચકાદિક વૈદ રત્ન સિવાય ચક્રવર્તીપણું કદિપણ હેતું નથી.” પ્રભુના આવાં વચન સાંભળી રાજા અશચંદ્ર ત્યાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy