SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રી આત્મ પ્રબોધ હોય છે, તેમ તેમ પરિગ્રહનું સુખ વધે છે અને ધર્મની સિદ્ધિ થાય છે. તેથી પરિગ્રહ સર્વ પાપનું મૂળ છે એમ ધર્મના આચરણમાં પ્રવીણ એવા મન વડે વિચારી તેને ત્યાગ કર. ૧-૨-૩ એવી રીતે પાંચમું વ્રત કહેવામાં આવ્યું. આ વ્રત મહાવ્રતની અપેક્ષાએ લઘુ-નાના છે, તેથી તે અણુવ્રત કહેવાય છે. ત્રણ ગુણવતે. આ વ્રતો અણુવ્રતના ગુણ (ઉપકાર)ને માટે વતે છે, તેથી તે ગુણવ્રત કહેવાય છે, તે ગુણત્રતા દિશિ પરિમાણ વગેરેથી હિંસાના નિષેધ કરનાર હોવાથી અણુવ્રતોને ઉપકારક છે. પહેલું દિપિરિમાણુ ગુણવત. જે સર્વ પ્રાણુઓથી સર્વ ભવમાં ઊર્ધ્વ, અધો અને તિયમ્ દિશામાં ગમન આશ્રીને પરિમાણ કરવામાં આવે છે તે પહેલું દિપરિમાણ ગુણવ્રત કહેવાય છે. તેની અંદર “મારે દરેક દિશામાં આટલી ભૂમિ આક્રમણ કરવી, તે કરતાં વધારે કરવી નહીં” એવો નિયમ લેવાય છે. અહિં કઈ શંકા કરે કે, દિપિરિમાણ વ્રત લેવાથી શું લાભ થાય છે? તેના ઉત્તરમાં કહેવાનું છે, તે દિક્ષરિમાણ વ્રત લેવાથી લાભને નિગ્રહ થાય છે અને તે મોટા ગુણના લાભને સંભવ છે. તેને માટે આગમમાં કહેલું છે. 'भुवणक्कमणसमत्थे, लोभसमुद्देवि सप्पमाणंसि । कुणइ दिसापरिमाणं, सुसावओ सेउबंधं व' ॥ १ ॥ આ ત્રણ ભુવનને આક્રમણ કરવાને સમર્થ એવા લેભરૂપી સમુદ્રને વિષે ગતિ કરતો એ શ્રાવક દિશાપરિમાણ રૂપ સેતુના બંધને કરે છે.” ૧ એટલે નિયમિત કરેલા ક્ષેત્રથી બાહેર મોટા લાભની પ્રાપ્તિ હોય, તે પણ તે ત્યાં જતો નથી, તેથી આ દિશા પરિમાણવ્રતથી તેટલો લેભનો નિગ્રહ થાય છે. તે વિષે વ્યતિરેકથી દષ્ટાંત કહે છે. 'करुणा वल्ली बीयं, जइ कुव्वंतो दिसासु परिमाणं । राया असोगचंदो, तो नरए नेव निवडतो' ॥ १ ॥ દયારૂપે વલીના બીજ સમાન એવું તે દિશિપરિમાણ વ્રત કર્યું હતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy