SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રી આત્મ પ્રબંધ ગાય, ભેંસ, ઊંટ વગેરે જાણવા. કુષ્ય એટલે શયન, આસન, રથ, ગાડાં, હળ, માટીનાં ઠામ, થાળ, કાળા વગેરે ઘરનો ઉપકરણે. અહિં શંકા કરે છે કે, એ ઉપર કહેલા પદાર્થોનું શી રીતે પરિમાણ કરવું ? તેના ઉત્તરમાં કહે છે કે, પોતાની ઇચ્છા-કલ્પને પ્રમાણે તેમનું પરિમાણ થાય છે. કહેવાનો આશય એ છે કે, જે ઇચ્છાની નિવૃત્તિ થાય તે નિયમ કરતી વખતે જેટલે પરિગ્રહ સત્તામાં રહેલો છે, એટલે તે સમયે જે પરિગ્રહ પિતાની પાસે વિદ્યમાન છે. તેનાથી ઓછું પ્રમાણ કરવું. અને પછી વધેલું દ્રવ્ય ધર્મકાર્યમાં જોડી દેવું. અથવા સત્તાનુમાને કરીને છતાં પ્રમાણે છેવટ નિયમ ગ્રહણ કરશે. તે ઉપર આનંદાદિ શ્રાવકોના દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે. જે કદિ ગૃહસ્થ ઈચ્છા નિરોધ ન કરી શકે તો જે હોય તે કરતાં બમણું કે ગણું મેકળું રાખીને બાકી જે શેષ રહે તેને નિયમ કરે. અહિં કોઈ શંકા કરશે કે, “આ છતાં પરિગ્રહનો નિષેધ કરીને જે વ્રતનું અંગીકાર કરવાપણું છે, તે મરૂદેશની વાપીકાના જલને સ્નાનની જેમ કેને હાસ્યનું સ્થાન નહીં થાય” ? તે શંકાના સમાધાનમાં કહેવાનું કે, ભાગ્યને કાલાંતરે કરીને ઈચ્છા પ્રમાણે ક્ષેત્રાદિ સંપદાના પણ અધિક આરંભનું થવા પણું છે અને કદિ સંપદા ન હોય પણ ઈચ્છા અનંતી હોય છે, તેને નિધિ કરવા માટે વ્રતને અંગીકાર કરવા તે સફળ છે. તેને માટે કહ્યું છે કે “if મિત્રપુણે, અમિષમતા રિતો ! Hવ વનિ કોઇ, અપરિમિકમાત મુવ” | પરિમિત પરિગ્રહને સેવત અને અપરિમિત અનંતને પરિહાર કરતો પુરૂષ આ લેકનો પાર પામે છે અને અપરિમિત અનંત સુખને પામે છે.” (૧) અહીં પ્રશ્ન કરે છે કે, ઇચ્છા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત કરતાં ઈચ્છા પિતાની મેળે શાંત પામે છે જ; તો પછી આ પરિગ્રહ પરિમાણ કરવાનું શું કારણ છે? ભૂજન કરવાથી ક્ષુધા એની મેળે સમાઈ જાય છે જ. તેના ઉત્તરમાં કહેવાનું કે, એમ નથી; કારણ કે પરિપૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત થતાં પણ ઈચ્છાની અતૃપ્તિ જ છે. તેને માટે કહ્યું છે કે – “કરું છું દ્ધિ, સોહો વિવzા વદુગો . लहिऊण दारुभारं, किं अग्गी कहविविज्झाइ" ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy