SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૧૭૯ એક વખત એવું બન્યું કે, કેઈ જૈનમુનિ ભિક્ષાને માટે સુભદ્રાના વાસગ્રહમાં આવી ચાલ્યા ગયા. તે જોઈ બુદ્ધિદાસને તેની માતા અને બહેને કહ્યું કે, ભાઈ, તારી વહ કેઈ જૈનમુનિની સાથે રમે છે. બુદ્ધિદાસ બોલ્યો, “તમારે એવી જુઠી વાત કહેવી નહીં, કારણકે મારી સ્ત્રી કુલીન, જૈનધર્મમાં રક્ત અને સતી છે. તે કદિપણ કુશીલા થાય જ નહિ. તમે ધર્મની ઈષ્યાંથી આવો મિથ્યા આરોપ ચડાવી કહો છે, તમારે આવું અઘટિત ન બોલવું જોઈએ.” બુદ્ધિદાસનાં આવાં વચન સાંભળી સાસુ અને નણંદ તે સુભદ્રાના વિશેષ છિદ્રો જેવા લાગ્યા. એક વખતે કઈ જૈન મુનિ સુભદ્રાને ઘેર ભિક્ષા લેવાને આવ્યા. તેજ વખતે પવન વડે તેમના નેત્રમાં ઉડતું તરણું પડ્યું. તે સાધુમાં જિનકલ્પીપણું હતું, એટલે તેઓ શરીર સંસ્કારથી વિમુખ હતા. આથી તેમણે તે તરણને નેત્રમાંથી દૂર કર્યું નહિ. આ સમયે સુભદ્રા ભિક્ષા આપવા આવી. તે વખતે તેણીના જોવામાં આવ્યું કે મુનિના નેત્રમાં કાંઈક પીડા થાય છે. આથી તેણીએ ચાલાકીથી જિલ્લાના અગ્ર ભાગથી તે મુનિના નેત્રમાંથી તરણું લઈ લીધું. તેમ કરતાં તેણીના કપાળમાં કરેલું કુંકુમનું તિલક તે મુનિના લલાટ ઉપર ચોંટી ગયું. મુનિ ભિક્ષા લઈ તેણીના ઘરમાંથી બહાર નીકળ્યા, તે વખતે છિદ્ર જેનારી તેણીની સાસુએ પોતાના પુત્રને બોલાવી તે મુનિના લલાટનું તિલક પ્રત્યક્ષ તેવી નિશાની જોઈ બુદ્ધિદાસે માતાનું વચન કબૂલ કર્યું અને સુભદ્રના શીલ વિષે તેને શંકા થઈ ત્યારથી બુદ્ધિદાસ સુભદ્રાની ઉપર વિરક્ત થઈ ગયે. સતી સુભદ્રા પિતાના પતિને પોતાની ઉપર નિઃસ્નેહ જાણી મનમાં વિચાર કરવા લાગી. “અહા ! મારી ઉપર વૃથા દોષારોપ થયે. વળી મારા નિમિત્તે શ્રી જિનશાસનને પણ આ અપવાદ લાગે, માટે હવે મારૂં જીવિત નકામું છે. જીવિતનો ત્યાગ કરીને પણ હું આ મલિનતા દૂર કરૂં તે ઠીક.” આવું વિચારી સતી સુભદ્રાએ આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો. જ્યાં સુધી આ મારા અપવાદની મલિનતા દૂર ન થાય, ત્યાં સુધી હું કાત્સગને પારીશ નહીં.” આવો અભિગ્રહ લઈ તેણુએ જિનપૂજા કરી અને શાસનસુરીની મનમાં ધારણા કરી. સંધ્યાકાળે ઘરના એક ખૂણામાં કાર્યોત્સગ કરીને રહી. તેણુના સમ્મધ્યાનથી આકર્ષાએલી શાસન દેવીએ પ્રગટ થઈ સુભદ્રાને કહ્યું, “હે વસે હું તારા બેલાવવાથી આવી છે, માટે જે કાર્ય હોય તે કહે. તે વખતે સુભદ્રાદેવી તે દેવીના વાક્ય સાંભળી કાયોત્સગ પારી સહર્ષા થઈ દેવીને નમન કરી બોલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy