SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રી આત્મ પ્રબોધ બળા ઘણું જ સ્વરૂપવતી હતી. આથી ઘણુ મિથ્યાત્વી વણિકેના પુત્રોએ તેણીના રૂપમાં મેહિત થઈ શ્રાવક જિનદાસ પાસે તેણીની માગણું કરવા માંડી તો પણ જેમ કાગડો ક્ષીરનું ભેજન ન પ્રાપ્ત કરે. તેમ મિથ્યાત્વીપણાને લઈને તેઓ તેણુને જિનદાસ પાસેથી પ્રાપ્ત કરી શક્યા નહીં. એક વખતે બુદ્ધિદાસ નામે એક બૌદ્ધ ધમ વણિક પુત્ર ચંપાનગરીમાંથી વેપાર કરવા વસંતપુરમાં આવ્યા. તે કઈ વ્યાપારને પ્રસંગે જિનદાસને ઘેર આવતાં સૌદયવતી સુભદ્રાને જોઈ તત્કાળ તેણે જિનદાસની પાસે પાણિગ્રહણ કરવા માટે સુભદ્રાની માગણું કરી. જિનદાસે તેને મિથ્યાત્વીપણાના કારણથી ના કહી. બુદ્ધિદાસ પછી તે કન્યા મેળવવાના ઈરાદાથી કપટી શ્રાવક થઈ કઈ વિચક્ષણ જૈનમુનિની સેવા કરવા લાગ્યો. તે અલ્પ સમયમાં તે મુનિ પાસેથી શ્રાવકના આચાર શીખી ગયો અને સાચા શ્રાવક જેવો બની ગયો. તેનામાં શ્રદ્ધા ન હતી, પણ તે નિરંતર દેવપૂજા, સાધુસેવા અને આવશ્યકાદિ ધર્મકૃત્ય કરવા લાગ્યા. આખરે બુદ્ધિદાસને શુદ્ધ શ્રાવક જાણી જિનદાસે પોતાની પુત્રી સુભદ્રા તેની સાથે પરણાવી. કપટી બુદ્ધિદાસ સુભદ્રાની સાથે વિષયભેગ ભેગવવા લાગે અને સુખે કાલ નિર્ગમન કરવા લાગે. એક વખતે જેણે વ્યાપારમાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું છે, એવા બુદ્ધિદાસે પિતાના દેશમાં જવા માટે પોતાના સસરા જિનદાસની રજા માગી તે વખતે જિનદાસે કહ્યું, “વત્સ! તમે સ્વદેશમાં જવાની ઈચ્છા રાખે છે, તે ઠીક છે. પરંતુ તમારા માતાપિતા વિપરીત ધમવાળા છે પાડા જેમ ઘોડાને ન સહન કરી શકે, તેમ મારી શ્રાવિકા પુત્રો સુભદ્રાને તેઓ કેમ સહન કરી શકશે? બુદ્ધિદાસે કહ્યું “ભદ્ર! તમે તે વિષેની ચિંતા રાખશો નહીં. હું તેમને જુદા ઘરમાં રાખીશ! પરંતુ મને સ્વદેશ જવાની આશા આપે.' સસરાએ કહ્યું, ખુશીથી જાઓ. ભાગમાં તમારું કલ્યાણ થાઓ.” સસરાની આજ્ઞા થતાં બુદ્ધિદાસ સુભદ્રા સાથે સ્થમાં બેસી ચંપાનગરી આવી પહોંચ્યા. પિતાની સ્ત્રી સુભદ્રા ને જુદા વાસગ્રહમાં રાખી પોતે માતાપિતાને ઘેર ગયો, અને તેમને આનંદથી મળે. તેણે પોતાને સર્વ વૃત્તાંત માતાપિતાને જણાવ્યું. પછી પોતાના કાર્યમાં તત્પર થઇ પોતાને ઘેર રહેવા લાગ્યું. સુભદ્રા જુદા ઘરમાં રહી નિષ્કપટ વૃત્તિ વડે અરિહંત પ્રભુને ધમ સેવતી હતી. પરંતુ તેણની સાસુ અને નણંદ તેણીનાં છિદ્ર જોયા કરતી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy