SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૧૭૩ બે સ્ત્રીઓ હતી. તે બંને રાણુઓને બે કુમારે થયા હતા, તે બંને કુમારને ઉપાધ્યાય સમીપે ભણાવ્યા હતા પરંતુ ચિત્તના દુર્નિવાર્યપણાને લઈને અને કામદેવના દુર્જયપણાને લઈને તે બંને કુમારે ગુરુના શિક્ષણને નીરસ માની, પોતાની પ્રસિદ્ધિની અવગણના કરી અને લજજાના સમુદ્રનું ઉલ્લંઘન કરી તે નગરમાં રહેનારી અને રૂપથી દેવાંગનાને પણ જીતનારી એક અનંગસેના નામની ગણિકાને વિષે રક્ત થયા. આ વાતની જાણ થતાં તેના પિતાએ તે બંને કુમારોને એકતિ બેલાવી આ પ્રમાણે શિખામણ આપી. “હે, કુમાર ! તમે આ યૌવનવયમાં શું આચરણ કરે છે ? આના જેવું મહત્તાના ભંગનું બીજુ કોઈ કારણ નથી, કે જેથી પોતાની વિવાહિત પ્રેમવતી કુલીન સ્ત્રીઓનો ત્યાગ કરી સ્વાર્થી અને નિઃસ્નેહ એવી વેશ્યાને વિષે તમે પ્રીતિ બાંધો છો.” ઇત્યાદિ પિતાએ તેમણે શિખામણ આપી તો પણ તેમના મનમાં તેની કાંઈ પણ અસર થઈ નહીં. તેઓ ઉલ્ટા ચાબુકના પ્રહારને નહીં ગણનારા અશ્વની પેઠે તોફાની અને બંધન સ્થાન જેણે તેડી નાંખ્યું છે એવા મદોન્મત્ત હાથીની પેઠે સ્વેચ્છાથી વેશ્યાની સાથે વિશેષ વિલાસ કરવા લાગ્યા. એકવાર એવું બન્યું કે, તે બંને એક વેશ્યારૂપ વસ્તુના અભિલાષી હોવાથી તેમનામાં પરસ્પર દ્વેષ ઉત્પન્ન થઈ આવ્યા. તેઓ કટીબદ્ધ થઈ હાથમાં ખડગ લઈ જાણે વૈરી હોય તેમ નિલ જપણે કલહ કરવા લાગ્યા. આ ખબર રાજાના જાણવામાં આવ્યાથી તેના હૃદયમાં ઘણે પરિતાપ થઈ આવ્યું. તેણે તેમને સુધારવા માટે ઘણા ઉપાયો કર્યા પણ તેઓ જરાપણ સુધર્યા નહીં. જાણે અસાધ્ય વ્યાધિએ ગ્રસ્ત થયા હોય અથવા કોઈ પ્રબળ પિશાચે છન્યા હોય, તેમ બની ગયેલા તે કુમારને માટે સુધારવાના ઉપાયની અશક્યતા જાણે આખરે તે રાજાએ પોતાની બે રાણીઓ સાથે કાલકૂટ ઝેર ખાધું અને તેથી તેઓ ત્રણે મરણને શરણ થઈ ગયા. તે બંને કુમારે પરસ્પર યુદ્ધ કરતાં અને લોકોમાં નિદાતા મહાદુઃખના ભાજન થયા હતા. આ ઉપરથી ભવ્ય એ વેશ્યાનું વ્યસન કે જે દુઃખે ત્યજી શકાય તેવું છે, તેમ જાણી તે કરવું નહીં. ઉત્તમ શ્રાવકે પરસ્ત્રીને વિષે કાયને સંસગ ન કરવો જોઈએ. તેણે તો સદા સ્વદારા સંતોષના વ્રતમાં રહેવું જોઈએ. જો એમ કરવામાં ન આવે તો કામાંધપણાની પ્રાપ્તિ થાય છે અને તે કામાંધપણુ શ્રાવકને અનુચિત છે. તેને માટે કહ્યું છે કે,-- " काम कामंधेणं, न सावरण कयावि होयव्वं । તે ધળ ધરવારિરિ મંમિ શનિદ્ધી” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy