SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી આત્મ પ્રબંધ : લગાડવાને તે કું ડલ તેના કાનમાં પહેરાવી દીધું. અને પછી તેને ગાઢ અંધનથી બાંધી રાજાની પાસે હાજર કર્યાં. રાજાએ તેના કાનમાં પ્રત્યક્ષ કુંડલ બેઇ · આ ચેાર છે ’ એવા નિશ્ચય કરી તત્કાળ કાપ પામી તેનેા વધ કરવાના કાટવાલને હુકમ કર્યાં, કાટવાલ પેાતાની ધારણા સફળ થયેલી માની ખુશી થયા. પછી તે કાટવાલ નાગદત્તને ચારના જેવી વિડંબના કરતા માંધી શહેરમાં ફેરવવા લઈ ગયા, જ્યાં નગરશેઠની પુત્રી નાગવસુ પેાતાની હવેલીના ગાખમાં બેઠી હતી, તે ગેાખ નીચે થઈ નાગદત્તને કાઢવામાં આવ્યા. પેાતાના શુદ્ધ શ્રાવક ભર્તારની આવી અવસ્થા જોઈ હૃદયમાં ખેદ પામતી નાગવસુ માળા શ્રી જિનમતની લઘુતા નિવારવાને અને પેાતાના ભર્તારના સ`કટના નાશ કરવાને તત્કાળ બેઠી થઈ પેાતાના ગૃહ દેરાસરમાં આવી ત્યાં શાસનદેવીનુ સ્મરણ કરી “ જ્યારે આ અકાય નાશ પામશે ત્યારે હું કાયાત્સગ પારીશ ” એવી મનમાં ધારણા કરી તે માળા ધર્મધ્યાન ધરતી શ્રી જિનપ્રતિમા આગળ કાઉસ્સગ્ગ યાને ઊભી રહી. અહીં કાટવાલ નાગદત્તને લઈ સ્મશાન ભૂમિમાં આવ્યેા. ત્યાં તેને શૂળી ઉપર ચડાવ્યા, તેવામાં શૂળી ભાંગી ગઈ. પુનઃ ચડાવ્યા, ત્યારે પણ પાછી ભાંગી, એમ ત્રણવાર ભાંગી તા પણ નિર્દય કાટવાલે તેને પાછા ચડાવ્યા, તેવામાં શ્રી જૈનધર્માંના પ્રભાવથી શાસનસુરીએ કરેલી સહાય વડે તે શૂળીને ઠેકાણે એક સુ...દર સિંહાસન થઈ ગયુ.. પછી દુષ્ટ કાટવાલે તે નાગદત્ત ઉપર ખડ્ગના પ્રહાર કરવા માંડચા, તે તે પ્રહાર પુષ્પની માળા રૂપે પરિણમ્યા. આ દેખાવ જોઇ લેાકેા વિસ્મય પામી ગયા, તેમણે જઈને રાજાને આ ચમત્કારિક વૃત્તાંત કહ્યો. તે સાંભળી અતિ આશ્ચય પામેલા રાજા તે સ્થળે આવ્યા. ત્યાં તેણે નાગદત્તને સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા વિલેાક્યો. તેના અ°ગ ઉપર અનેક આભૂષણેા રહેલા લેવામાં આવ્યા. તત્કાળ રાજા પ્રસન્ન થઈ ગયા અને નાગદત્તની આગળ પેાતાને અપરાધ ખમાવી તેને માટા ગજેન્દ્ર ઉપર બેસાડી મહેાત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યેા, નાગદત્તને વિષે ધમના પ્રભાવ એઈ લેકે શ્રી જિનધની પ્રશંસા કરવા લાગ્યા. પેલી નાગવસુ તેવા આડંબરવાળા નાગદત્તને પેાતાની હવેલીના ગેાખ પાસે નીકળતા જોઈ ઘણી ખુશી થઇ અને તેણીએ ગ્રહણ કરેલા કાર્યાત્સગને પારી દીધા. તે વખતે કાટવાલે નાગદત્તની ઉપર ખાટુ દૂષણ આપ્યું. હતું. એવા નિશ્ચય થવાથી રાજા તેની ઉપર ઘણા રેષાતુર બની ગયા. તેણે કોટવાલનું સ દ્રવ્ય લઇ લીધુ' અને તેને જાનથી મારી નાખવાની આજ્ઞા કરી. આ સમયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy