SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૧૬૯ પાસેથી અદત્તાદાન વિરમણ વ્રત ગ્રહણ કર્યું હતું. જો કે બીજા વ્રતો તેણે અંગીકાર કર્યા હતા, તથાપિ અદત્તાદાન વિરમણ વ્રતમાં તે વિશેષ ચુસ્ત હતો. એક દિવસે તે નગરના નગરશેઠની નાગવસુ નામની કન્યા જિનપૂજા કરવા માટે જિનાલયમાં જતી હતી. રસ્તામાં પેલો નાગદત્ત તેણની દૃષ્ટિએ પડ્યો. તેને જોતાં જ તે બાળા તેના રૂપમાં મોહિત થઈ ગઈ. તત્કાળ તેણીએ ચિતવ્યું કે, “મારે આ ભવમાં આ નાગદત્ત જ ભર્તાર થાઓ.” આ પ્રમાણે નિશ્ચય કરી તે બાળા પોતાને ઘેર આવી અને તે પિતાના ચિતિત અને પિતા પાસે નિવેદન કરાવ્યો. પોતાની પુત્રીને આવો નિશ્ચય જાણી તેણીને પિતા નાગદત્તના પિતાને ઘેર ગયે અને તેની આગળ પોતાની પુત્રીને અભિગ્રહ જણાવ્યું. તે શેઠે તે વાત માન્ય કરી. પછી નાગદત્ત કે જે આ સાંસારિક ભેગની ઇચ્છા રાખતો નથી તો પણ પિતાના આગ્રહથી તેને માન્ય કરવું પડયું; પછી નાગદત્તની સાથે તે નગરશેઠની પુત્રી નાગવસુનું વેવિશાળ-વિવાહ કરવામાં આવ્યો. તે પછી એવું બન્યું કે તે નગરના કેટવાળે એક વખતે નગરશેઠની કન્યાને જોઈ તે ઉપર મોહિત થઈ તેણે નગરશેઠની પાસે પોતાના માણસે મોકલી તે કન્યાની માગણી કરી, નગરશેઠે તેના માણસને કહ્યું કે, “કેટવાળને કહો કે, આ કન્યા ધનદત્ત શેઠના પુત્ર નાગદત્તને આપી દીધી છે. તેથી હવે બીજાને આપવા હું સમર્થ નથી. નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે, “સત ન્યા ગીતે" કન્યા એકવાર જ અપાય છે. શેઠના આ વચનો તે માણસોએ કેટવાળને કહ્યા; તેથી કેટવાળ કપાયમાન થઈ ગયો. ત્યારથી તે નાગદત્તના છિદ્રોની ગષણા કરવા લાગ્યા. એક દિવસે રાજા એક અતિ ચપળ ઘડા ઉપર બેસી રયવાહી કરવા નીકળે. દેવગે રાજાના કાનમાંથી કુંડલ પડી ગયું. રાજા નગરમાં આવતાં તેને પિતાના કુડલની ખબર પડી એટલે તેણે પોલીસના માણસો દ્વારા આખા નગરમાં તે કંડલની ગષણ કરવા માંડી. પણ કોઈ સ્થળે કંડલનો પત્તો લાગ્યો નહિ. તે અવસરે નાગદત્ત જિનાલયમાં દર્શન કરવા જતો હતો. તેણે માર્ગમાં કુંડલ પડેલું જોયું. પોતે અદત્તાદાનના પચ્ચકખાણ કરેલા તેથી તેણે તે કુંડલ લીધું નહિ. તત્કાળ તે જિનાલયમાં જઈ પ્રભુની પૂજા કરી તેમની સમીપે કાયેત્સર્ગ કરીને રહ્યો. આ વખતે દેવગે ત્યાં પેલો કેટવાળ આવી ચડ્યો. પડેલું કુંડલ તેના જેવામાં આવ્યું. તે લઈ દેરાસરમાં ગયો. ત્યાં નાગદત્તને કાયોત્સગે રહેલો જે, લાગ આવેલો જાણું તે દુષ્ટ બુદ્ધિએ નાગદત્ત ઉપર કલંક ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy