SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી આત્મ પ્રાધા અવશ્ય મરવાના જ છે. હવે તે જે થવાનું હોય તે થાય પણ જે બેલ્યા તેમાં ફરવાનું નથી.” - પુત્રનાં આવાં વચન સાંભળી પોતાના પુત્રની આપત્તિ દૂર કરવા માટે વસુરાજાની પાસે આવી. વસુરાજાએ પ્રણામ કરી તે માતાને કુશળ પ્રશ્ન પૂછવા વગેરેથી સત્કાર કર્યો, પછી તે વીનિત રાજાએ જણાવ્યું, “માતા, આજે અહીં પધારી તમે મારી ઉપર મેટી કૃપા કરી છે. આપના આગમનનું કારણ શું છે? આપની શી ઇચ્છા છે? તે જણાવે. “માતાએ “ચિરંજીવની આશિષ આપી આ પ્રમાણે કહ્યું, “રાજા હું મારા પુત્રને જીવતો જોઉં, એવું કરે.' વસુરાજા આશ્ચર્ય પામીને બે --“ભદ્ર, તમારો પુત્ર મારે ગુરુભાઈ છે. તેમ વળી મારા ગુરુનો પુત્ર હોવાથી તે મારા ગુરુ છે, તો તેનો ઢષી કોણ થયે છે ? તેનું નામ આપો. માતાએ કહ્યું, “તેના પિતાના મુખ સિવાય તમારા ગુરુભાઈનો બીજો કોઈ દ્વેષી નથી. “આટલું કહી તેણીએ પિતાના પુત્રના વિવાદને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી તેણીએ વસુરાજાને પ્રાર્થના કરી કે, “તમારે મારા પુત્રના વચનને સત્ય કરવું. “તેણુના આવાં વચન સાંભળી વસુરાજાએ કહ્યું, “ભદ્ર, હું કોઈ દિવસ કઈ પણ વખતે મિથ્યાવચન બોલતો નથી; તે બેટી સાક્ષીમાં અને ગુરુને વચનને ઉછું કરવામાં હું મિથ્યા કેમ બેસું? એ મારાથી કદિ પણ બનવાનું નથી.” તેણીએ વિનંતીપૂર્વક જણાવ્યું, “ભાઈ, આવે વિચાર કરશે નહીં; જીવરક્ષાનું પુણ્ય તમને થાઓ. અને મૃષા બેલવાથી થયેલું પાપ મને લાગે. આ પ્રમાણે તેણુએ તીવ્ર આગ્રહથી કહ્યું, એટલે વસુરાજાએ એ વાત માન્ય કરી, . બીજે દિવસે પ્રાતઃકાળે વસુરાજા સભામાં આવ્યા, તે વખતે પેલા નારદ અને પર્વતક વાદ કરતાં કરતાં રાજાની સભામાં આવ્યા અને તેમણે ઉંચે સ્વરે પિતપતાનો પક્ષ વસુરાજા આગળ નિવેદન કર્યો. તે સમયે સભામાં બેઠેલા મધ્યસ્થ દૃષ્ટિવાળા સભ્ય લેકેએ વસુરાજાને આ પ્રમાણે કહ્યું, મહારાજા, આ પૃથ્વી આપનાથી જ સત્યવતી કહેવાય છે. આપે બાલ્યવયથી કદિપણ સત્યવતનો ત્યાગ કર્યો નથી. સત્યવ્રતના પ્રભાવથી દેવતાઓ પણ આપના સેવક થઈ આપના સિહાસનને આકાશમાં ધારણ કરી રાખે છે, તેથી તે સત્યના સમુદ્ર મહારાજા, તે સત્યવાણથી આપ આ બંનેના વાદને શમાવી ઘો.. સભ્ય લોકોએ આ પ્રમાણે કહ્યું તે પણ જેની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે એવા વસુરાજાએ પોતાના સત્યવ્રતનો ભંગ કરી કહ્યું કે “ગુરુએ “બઝ' શબ્દને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy