SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૧૬૩ પછી તેણે પોતાના હાથ વડે કાન ઢાંકીને કહ્યું, “ભાઈ ! ભ્રાંતિથી આ શું બોલે છે?” આપણા ઉપાધ્યાયે તે “ના” શબ્દનો અર્થ ત્રણ વર્ષની જૂની શાલ એ કહ્યો છે. પર્વતકને તે સાંભળી ગુરુના કહેલા તે અર્થનું સ્મરણ થઈ આવ્યું પરંતુ સમીપ રહેલા લોકોના મનમાં પિતાનો અવિશ્વાસ ન ઊપજે એવા ઈરાદાથી તે ગર્વિત થઇને બેલ્યો, “અરે નારદ ! તું જ ભ્રાંતિમાં પડ્યો છે; તેથી જ તું મને ભ્રાંતિવાળે કહે છે. કારણ કે, “મે' શબ્દના કહેનારા ગુરુની નિઘંટુ ગ્રંથની સાક્ષી છે. નારદે કહ્યું, “શબ્દ બે પ્રકારનો છે. એક મુખ્ય અર્થને કહેનારે અને બીજે ગૌણ અર્થને કહેનારે.” તેથી “૩ાતે રિ બાદ ઉત્પન્ન થાય નહીં તે “ના” કહેવાય. આ પ્રકારે વ્યુત્પત્તિ કરી ગુરુએ “ક” શબ્દને ગૌણ અથ કહે છે; પણ તે મુખ્ય અર્થ નથી. બુદ્ધિમંતને નિઘંટુને કહેલા શબ્દાથે જ પ્રમાણ છે, એમ માનીએ તો પછી ગુરુ શા માટે કરવા ? માટે હે પર્વતક, ધર્મોપદેશક ગુરુ આ ધાર્મિક કૃતિને લેપ કરે તો તે પોતાના બે લકનો લેપ કરે છે.' નારદનાં આ વચને સાંભળી પર્વતક ગુસ્સ કરીને બોલ્યો, “નારદ ! આ ફેગટ શબ્દવાદ શા માટે કરે છે. આપણે બંને તે વિષે પણ લઈએ. જેનો પક્ષ જુઠો ઠરે તેની જિલ્લાનો છેદ કરવો. અને આપણું પ્રમાણપણામાં વસુરાજાને રાખો. તેઓ ભણેલા છે; તેથી તે જે કહે તે આપણે પ્રમાણ કરવું.” પર્વતકનાં આ વચન સાંભળી પોતાનો પક્ષ સત્ય છે” એવું દૃઢતાથી માનનાર નારદના મનમાં કાંઈપણ ક્ષોભ થયે નહિ. તેણે તે વાત કબૂલ કરી. પછી તે કઈ કાચ માટે નગરમાં ગયે. પાછળથી પર્વતકની સ્નેહાળ માતાએ પુત્રનું એવું ભારેપણ જાણું આ પ્રમાણે કહ્યું, “વત્સ, તેં તારા આત્માને નાશ કરનારૂ પણ કર્યું છે; કારણ કે, મેં પણ તારા પિતા પાસેથી સાંભળ્યું છે કે, અજા એટલે શ્રીહિ (જુની ડાંગર) સમજવી. તે સિવાય બીજો અર્થ તેનો થતો નથી; તેથી હજુ પણ નારદને બેલાવી તારા અસત્ય વચનને અંગીકાર કરે અને તેને ખાવ. જેમ રોગનું મૂળ અજીર્ણ છે, તેમ સર્વ આપત્તિનું મૂળ ગર્વ છે. તેને પરિહાર કર.” માતાનાં આ વચન સાંભળી પર્વતક બે -“માતા એમાં શું ભય રાખવાનું છે? મરણને ભય રાખ એ ઘટિત નથી. જે પ્રાણું જમ્યા છે, તે ૧. આ લોક અને પરલેક. ૨. પ્રતિજ્ઞા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy