SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી આત્મ પ્રબોધ અભાવ છે. તેવા દેવો આ સંસારના તારક થઈ શકતા નથી. જેઓ આ સંસારના પારને ઉતારનારા છે, તે જ આ લેકમાં દેવ કહેવાય છે, અને તેવા દેવ તો શ્રી જિનેશ્વર એક જ છે, તેથી ઉત્તમ બુદ્ધિવાળા પુરૂષોએ તેવા દેવની જ સેવાભક્તિ કરવી જોઈએ.” ધનપાળના આવા યુક્તિવાળા વચન સાંભળી ભેજ રાજાના મનમાં કુદેવને માટે શંકા ઉત્પન્ન થઈ અને તેણે ધનપાલની પ્રશંસા કરવા માંડી. એક વખતે મિથ્યાત્વી બ્રાહ્મણની પ્રેરણાથી ભેજરાજાએ એક મોટા યશને આરંભ કર્યો, જ્યારે યક્ષની પૂર્ણાહુતિનો સમય આવ્યો ત્યારે એક બેકડાને હોમવા માટે ત્યાં લાવવામાં આવ્યો. હોમ કરતાં બેકડો પોકાર કરવા લાગ્યો, તે જોઈ રાજા ભેજે ધનપાલને પૂછયું, “ભદ્ર, ધનપાલ, આ બોકડો શું બેલે છે? તે કહે ? તે વખતે ધનપાલે કહ્યું, “મહારાજ, તે બેકડો આ પ્રમાણે બોલે છે " नाहं स्वर्गफलोपभोग रसिको नाभ्यर्थितस्त्वं मया संतुष्ट स्तृण भक्षणेन सततं साधो न युक्तंतव । स्वर्ग यांति यदि त्वया विनिहिता यज्ञे ध्रुव प्राणिनो यज्ञं किं न करोपि मातृपितृभिः पुत्रैस्तथा बांधवैः ॥ १ ॥" હે સાધુ પુરૂષ, હું સ્વર્ગના ફળને ઉપભેગ કરવામાં રસિક નથી. તે ફળને માટે મેં તારી પ્રાર્થના પણ કરી નથી. હું હમેશાં ઘાસ ખાઈ સંતુષ્ટ રહું છું. તે છતાં તું મને મારે છે, તે ઘટિત નથી. યજ્ઞમાં હણેલા પ્રાણીઓ જે સ્વર્ગે જતા હોય તો તું તારા માતાપિતા, પુત્રી અને બાંધવોને મારી યજ્ઞ કેમ કરતો નથી?”-(૧) ધનપાલના મુખથી આ શબ્દો સાંભળી રાજાભોજ કોપાયમાન થઈ ગયા. પણ તે વખતે તે મૌન ધરીને બેસી રહ્યો. એક વખતે રાજાજે એક મોટું સરોવર કરાવ્યું. વર્ષાઋતુ આવવાથી તે સરોવર જળથી પરિપૂર્ણ ભરાઈ ગયું. તે ખબર જાણી રાજાભેજ પાંચ પંડિતને પરિવાર લઈ તે સરેવર જોવાને આવ્યા, ચતુર પંડિતો પોતપોતાની બુદ્ધિને અનુસરે નવા કાવ્યોથી તે સરોવરનું વર્ણન કરવા લાગ્યા. ધનપાલ તે વખતે મૌન ધરીને રહ્યો. તે સમયે ભેજ રાજાએ ધનપાલની સામે જોઈને કહ્યું કે, ધનપાલ, તમે પણ સરોવરનું વર્ણન કરે. રાજાની આજ્ઞા થવાથી ધનપાલે આ પ્રમાણે એક નવીન કવિતા રચી સરેવરનું વર્ણન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy