________________
પ્રથમ પ્રકાશ
૧૩૧ રૂપ તે શંકરની પૂજા મેં કરી નહીં. આ અર્થને અનુસરત શ્લોક તે આ પ્રમાણે બે હતો.
"अकंठस्य कंठे कथं पुष्पमाला, विना नासिकायाः कथं धूप गंधः ।
अकर्णय कणे कथं गीतनाद , अपादस्य पादे कथं मे प्रणामः ॥१॥" આ લેક બેલી રહ્યા પછી રાજાભેજે પુનઃ પ્રશ્ન કર્યો. “ધનપાલ. ત્યારે વિષ્ણુના મંદિરમાં જઈ તેમની પૂજા કેમ ન કરી ? અને તેમને વસ્ત્રથી ઢાંકી તું જલ્દી બહાર કેમ નીકળી ગયો ?' ધનપાલે કહ્યું, “રાજેન્દ્ર, વિષ્ણુ પિતાની સ્ત્રીને સાથે રાખી રહેલા હતા. તેથી મેં વિચાર કર્યો કે, આ વખતે વિષણુ જનાનામાં એકાંત રહેલા છે, માટે હમણાં પૂજાનો વખત નથી કોઈ સાધારણ પુરૂષ પણ જે પોતાની સ્ત્રી પાસે એકાંત રહ્યો હોય તે વખતે તેની સમીપે સારા માણસે ન જવું જોઈએ તે આતો કૃષ્ણ વાસુદેવ કે જે ત્રણ ખંડના સ્વામી કહેવાય છે. તેમની પાસે કેમ જવાય ?” આવો વિચાર કરી હું તેમની પૂજા કર્યા વગર પાછો વળ્યા હતા. વળી મેં વિચાર્યું કે, “ચાટે જતા આવતા લોકોની દષ્ટિએ આ દેખાવ આવશે, આવું વિચારી મેં તેમની ઉપર વસ્ત્ર ઢાંકયું હતું. ધનપાલના આ વચન સાંભળી રાજા ભોજે કહ્યું, “ ત્યારે મારી આજ્ઞા સિવાય, તે ઋષભદેવની પૂજા કેમ કરી ?” ધનપાલે કહ્યું, “સ્વામી. તમે મને દેવની પૂજા કરવાની આજ્ઞા કરી હતી અને તે દેવપણું તો મેં અપભદેવ ભગવાનમાં જોયું, તેથી મેં તેમની પૂજા કરી હતી. જેમના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે છે.
" प्रशम रसनिमग्नं दृष्टियुग्मं प्रसन्न वदनकमलमंकः कामिनी संगशून्यः । करयुगमपि धत्त शस्त्र संबंध वंध्यं
તષિ ગતિ તેવો વેતરાયારત્વમેવ | ? | " જેમના બે નેત્રી સમતા રસમાં નિમગ્ન છે. જેમનું વદનકમળ પ્રસન્ન છે, જેમને ઉસંગ સ્ત્રીના સંગથી રહિત છે અને જે શસ્ત્રોના સંબંધથી રહિત એવા બે હાથને ધારણ કરે છે, એવા હે ઋષભદેવ ભગવાન, આ જગતમાં તમે જ એક વીતરાગદેવ છે.”
આ લેક બેલ્યા પછી ધનપાળે વિશેષમાં જણાવ્યું. “સ્વામી! જે રાગદ્વેષથી યુક્ત હોય, તે દેવ કહેવાતા નથી; કારણ કે, તેમનામાં દેવપણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org