SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી આમ પ્રબોધ શોભનાચાર્ય આ પ્રમાણે પોતાના બંને પ્રતિબંધ આપી ગુરુની સમીપે ગયા હતા, ધનપાળ છ યતના પાળતે સુખે કરી સમ્યકત્વધર્મને આરાધત કાળ ગુમાવતો હતો. એક વખતે કોઈ દુષ્ટ બ્રાહ્મણે આવી ભોજરાજાને કહ્યું, મહારાજા, તમારો પુરોહિત ધનપાલ જૈન થઈ ગયો છે. તે જિનેશ્વર વિના બીજા કોઈ પણ દેવને નમતે નથી.” તે બ્રાહ્મણના આ વચનો સાંભળી રાજાએ પિતાના મનમાં વિચાર કર્યો કે, જે એ વાત સત્ય હોય તો તેની પરીક્ષા કરીએ. તે પછી રાજ ભેજ એક દિવસે ધનપાલને સાથે લઈ મહાકાલના મંદિરમાં ગયે. ભેજ રાજાએ મહાકાલેશ્વર શંકરને પ્રણામ કર્યા, ધનપાલ શંકરને નમ્યો નહીં. તેણે પિતાના હાથમાં રહેલ મુદ્રિકાની અંદર સ્થાપિત એવા જિનેશ્વરની પ્રતિમાને નમસ્કાર કર્યો, ભેજરાજાએ તે ચાતુર્યથી જાણી લીધું. પછી રાજા પિતાને સ્થાને આવ્યો, ત્યાં તેણે ચંદન પુષ્પ વગેરે પૂજાની સામગ્રી આપી ધનપાલને આજ્ઞા કરી કે, “ધનપાલ આ પૂજાની સામગ્રી લઈ દેવની પૂજા કરી આવો.” આવી આજ્ઞા કરી તેની પાછળ ગત બાતમીદારે મોકલ્યા. ધનપાળ રાજાની આજ્ઞાથી તત્કાળ ઉભો થઈ પ્રથમ દેવીના મંદિરમાં ગયા. ત્યાંથી ભયભીત થઈ બહાર નીકળી શિવાલયમાં ગયે. ત્યાં પણ આસપાસ ફરી બહાર નીકળી વિષણુના મંદિરમાં ગયો. ત્યાં પોતાનું ઉત્તરીય વસ્ત્ર નાંખી રૂપ ઢાંકીને બહાર નીકળી શ્રી નષભદેવના મંદિરમાં ગયે. ત્યાં શાંતચિત્તે ભક્તિભાવથી શ્રી જિનેશ્વરની પૂજા કરી રાજદ્વારે આવી પહોચ્યું. રાજાએ મોકલેલા ગુમ દૂતેએ તે વૃત્તાંત રાજાને છાની રીતે કહી દીધો પછી રાજાજે ધનપાલને પૂછયું, “કેમ ધનપાલ, તમે દેવપૂજા કરી ? " ધનપાલે ઉત્તર આપે. “સ્વામી ! મેં સારી રીતે પૂજા કરી.” ત્યારે રાજાએ પુનઃ જણાવ્યું. “ધનપાલ, તમે ભવાનીદેવીના મંદિરમાં ભયભીત થઈ બહાર કેમ નીકળી ગયા ?” ધનપાળ બેલ્યા, “સ્વામી, તે દેવીના હાથમાં ત્રિશૂળ હતું. લલાટ પ્રદેશમાં ભ્રકુટી ચડાવેલી હતી અને તે પાડાનું મર્દન કરતા હતા. તેથી હું તેમનાથી ભય પામીને બહાર નીકળી ગયો હતો. કારણ કે, મેં જાણ્યું કે, આ ભવાનીને યુદ્ધ કરવાનો અવસર છે, પૂજાનો અવસર નથી, આવું વિચારી મેં તેમની પૂજા કરી નહીં.” રાજાએ પુનઃ પૂછયું, “ધનપાલ ! ત્યારે તે શંકરની પૂજા કેમ ન કરી ? ધનપાળે ઉત્તર આપ્યો “સ્વામી ! જેને કંઠ ન હોય તેને પુષ્પમાળ શી રીતે પહેરાવાય ? જેને નાસિકે ન હોય, તેને સુગંધ કેમ અપાય ? જેને કાન ન હોય તેને ગીત શી રીતે સંભળાવાય ? અને જેને ચરણ ન હોય તેને ચરણમાં વંદના શી રીતે થાય? આવું વિચારી લિંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy