SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૨૯ પાસે ઉત્તમ પ્રકારની રસવતી તૈયાર કરાવી. જ્યારે તે રસવતી શેભનાચાર્ય પાસે નિવેદન કરી, ત્યારે આચાર્ય તે સ્વીકારી નહીં. તેમણે જણાવ્યું કે, આધાર્મિક આહાર જેન સાધુને અગ્રાહ્ય છે. તે પછી ગુરુની આજ્ઞા મેળવી તેમની સાથે રહેલા બે મુનિએ શ્રદ્ધાળુ શ્રાવકોને ઘેર આહાર લેવાને ગયા. તે વખતે ધનપાળ તેમની સાથે ચાલ્યા, તે સમયે કોઈ શ્રાવકને ઘેર ગોચરીએ જતાં એક ગરીબ શ્રાવિકાએ એક દહીંનું પાત્ર તે મુનિની આગળ ધર્યું. અને કહ્યું કે, “મારા ઘરમાં આ વસ્તુ છે, તે વહોરો.” મુનિએ પૂછયું, “આ દહીં શુદ્ધ છે?” શ્રાવિકાએ કહ્યું, “ મહારાજ તે ત્રણ દિવસનું છે.” તત્કાળ મુનિ બોલ્યા કે, “તો એ દહીં અમારે લેવા યોગ્ય નથી. કારણ કે, શ્રી જિનેશ્વરે આગમમાં ત્રણ દિવસનું દહીં લેવાને નિષેધ કરેલો છે. આ સાંભળી સાથે આવેલા ધનપાલે પૂછયું કે, “મહારાજ ! આ દહીં અશુદ્ધ કેમ છે?” “મુનિએ કહ્યું, તે વિષે તમારે તમારા ભાઈને પૂછી જેવું.” પછી ધનપાળ તે દહીંનું પાત્ર લઈ શેભનાચાર્ય પાસે આવ્યો અને તે આચાર્યને બતાવી કહ્યું કે, “આ દહીં અશુદ્ધ કેમ છે? તે લોકોમાં અમૃતતુલ્ય કહેવાય છે. જો તમે આ દહીંમાં જીવ દેખાડો તો હું શ્રાવક થઈ જાઉં અને જે નહિ દેખાડો તો હું જાણીશ કે, તમે ભેળા લોકોને ઠગનારા છો" પિતાના ભાઈના આવા વચન સાંભળી શેભનાચાર્યે કહ્યું, “હું તમને હમણાં જ જીવ બતાવું, પણ પછી તમારે તમારું વચન પાળવું જોઈશે.” ધનપાળે એ વાત કબૂલ કરી પછી શેભનાચા એક લાખની થેપલી મંગાવી. પછી દહીંના પાત્રનું મુખ બંધ કરી, તેની પડખે એક છિદ્ર કરી તે પાત્ર તડકે મૂક્યું. પછી તે છિદ્રમાંથી દહીં પેલા લાખના અળતામાં પડવા લાગ્યું, ત્યારે તેની અંદર ધોળા જીવડાએ જોવામાં આવ્યા. તત્કાળ તેમણે તે ધનપાલને બતાવ્યા. ધનપાલ તે ચાલતા ને જોઈ પોતાના મનમાં અતિશય આશ્ચર્ય પામી ગયે. તત્કાળ તેના હૃદયમાં એવી ભાવના પ્રગટ થઈ આવી કે, જૈનધર્મને ધન્યવાદ ઘટે છે. તત્કાળ તે પિતાને મુખે આતધર્મની પ્રશંસા કરવા લાગ્યો તેના હૃદયમાં તત્ત્વ રુચિરૂપ સમ્યક્ત્વ પ્રગટ થઈ આવ્યું. પછી તેણે પોતાના ભાઈ શંભનાચાર્ય પાસે બારવ્રત અંગીકાર કર્યા અને તે શુદ્ધ શ્રાવક બની ગયા. તે શ્રી અરિહંત તે શુદ્ધ દેવ, ઉત્તમ સાધુ તે ગુરુ, અને જિનેન્દ્ર, ભાષિત તે ધમ માનતા અને હૃદયને વિષે શ્રી પંચ–પરમેષ્ઠિનું ધ્યાન ધરતો તે આત્મ સાધન કરવા લાગ્યો. તેણે અન્ય મતને તદન છોડી દીધો. તે દ્વાદશત્રતધારી ઉત્કૃષ્ટ શ્રાવક બની ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy