SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી આત્મપ્રબોધ આથી અવંતિના સંઘે ગુરુને આ પ્રમાણે પત્રથી લખી જણાવ્યું–“સ્વામી! આપે શોભનને દીક્ષા આપી ઉપદ્રવ ઉભે કર્યો છે. શોભનને દીક્ષા ન આપી હોત તે શું ગચ્છ શૂન્ય થઈ જાત? શું તે નિવશ થઈ જાત ? ગચ્છ તે એક રત્નાકરરૂપ છે. શોભને દીક્ષા લીધી તેથી તેનો ભાઈ ધનપાલ પુરોહિત મિથ્યાત્વીપણાથી રેષાવિષ્ટ થઈ આહત ધર્મની ઘણી હાનિ કરે છે.” ગુરુ આ વૃત્તાંત જાણું વિચારમાં પડ્યા. તેમણે પોતાના શિષ્ય શોભનને ગીતાર્થ જાણું શુભ દિવસે તેને વાંચનાચાર્યનું પદ આપ્યું હતું. તે પછી તેમને એક મુનિ યુગલ સાથે તે ઉપદ્રવની શાંતિને માટે અવંતિ તરફ મોકલ્યા. શંભનાચાર્ય ગુરુની આજ્ઞા માન્ય કરી ત્યાંથી વિહાર કરી ઉજ્જયિની નગરી પ્રત્યે આવ્યા. તે વખતે રાત્રિ હોવાથી નગરના દરવાજા બંધ હતા એટલે તેઓ રાત્રે બહાર રહ્યા હતા. પ્રાતઃકાળે પ્રતિક્રમણ કરી તેઓએ નગરમાં પ્રવેશ કર્યો, તેટલામાં પુરોહિત ધનપાલ તેમને સામે મળ્યો. તે જૈનધર્મનો પૂર્ણ શ્રેષી હોવાથી પિતાના બંધુ શોભનને આ પ્રમાણે ઉપહાસ્યનું વચન કહ્યું, નર્ટવંત મહંત રમાતે ” ગધેડાના જેવા જેના દાંત છે, એવા હે ભગવાન તને નમસ્કાર છે." આ વચન સાંભળી શોભનાચાર્યે પોતાના ભાઈને ઓળખી તેના પ્રત્યુતરમાં આ પ્રમાણે કહ્યું. “fપ ગૃપાચ વય સુર્વ તૈ" વાંદરાના વૃક્ષણ જેવા મુખવાળા હે ભાઈ, તને સુખશાતા છે ?" આ પ્રતિહાસ્યનું વચન સાંભળી ધનપાળે કહ્યું. “તમારો નિવાસ કથા છે ?” શોભનાચાર્યે કહ્યું, “જ્યાં તમારે નિવાસ છે, ત્યાં” પછી ધનપાળ પિોતાના ભાઈના વચનને ઓળખી લજ્જા પામી ત્યાંથી કોઈ કાર્યને માટે ચાલ્યો ગયે હતો. તે પછી શેભનાચાર્ય પ્રત્યેક જિનમંદિરે ચૈત્યવંદન કરી જેવામાં ચૈત્યની બહાર આવે છે, તેટલામાં નગરનો સંઘ એકઠો થઈ ગયો. અને તે ગુરુની સામે આવી તેમના ચરણમાં નમી સમીપ બેઠો. શેભનાચાર્ય ઉત્તમ વાણીથી તેને ધમ દેશના આપી. પછી સવ સંઘની સાથે તેઓ પોતાના ભાઈ ધનપાલના ઘર તરફ ચાલ્યા. તે વખતે બંધુ ધનપાન સન્મુખ આવ્યો અને વિનયથી નમસ્કાર કરી પિતાને ઘેર લઈ ગયો. ત્યાં તેમને વસવાને માટે એક સુભિત ચિત્રશાળા આપી. તે વખતે તેણે પોતાની માતા અને સ્ત્રી વગેરેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy