SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૨૭ દ્રવ્ય સધરને બતાવી આપ્યું. સવધર તે દ્રવ્યને ઢગલે જોઈ સાન દાશ્ચય થઈ ગયા. પછી તેના બે સરખા ભાગના ઢગલા કરી, તેમાંથી એક ઢગલા ગુરુને માટે નિર્ધારી ગુરુને વિનતિ કરી. સ્વામી ! આ અધુ· દ્રવ્ય આપ ગ્રહણ કરો.” ગુરુ બેાલ્યા− ભદ્રે ! અમારે મુનિને દ્રવ્યનુ કાંઈ પ્રયાજન નથી. અમેાએ તે પ્રથમ પાસે રહેલા દ્રવ્યના ત્યાગ કરી દીધા છે. સર્વધર બાલ્યા– “ ત્યારે શું તમે સારરૂપ અર્ધદ્રવ્ય માગેા છે?” ગુરુએ કહ્યુ, “ હા, જે તમારા ઘરમાં અર્ધું સારરૂપ હાય તે આપે .” સવધરે કહ્યુ’-“મારા ઘરમાં શુ' સારરૂપ છે! આચાય બાલ્યા, “ તમારા ઘરમાં સારરૂપ બે પુત્રો છે, તેમાંથી એક પુત્રને આપો.” ગુરુના આ વચન સાંભળી તે પુરહિત કિત થઈ ગયા અને ક્ષણવાર મૌન ધરીને રહ્યો. પછી તે આચાય મહારાજ ત્યાંથી વિહાર કરી ખીજે સ્થાને ચાલ્યા ગયા હતા. પછી પુરાહિત સર્વધર તે ગુરુના ઉપકારનું સ્મરણ કરવા લાગ્યા. તે સ્મરણ કરતાં તેના મનમાં આવ્યું કે, તે ઉપકારી ગુરુને પ્રત્યુપકાર કરવાને સમર્થ થઈ શક્યો નહીં. આ પશ્ચાત્તાપથી તેને હૃદયમાં લાગેલા શલ્યની જેમ પીડા થવા લાગી. તેવી સ્થિતિમાં કેટલાક કાળ નિમન કર્યાં પછી તે રોગગ્રસ્ત બની ગયા, રાગી અવસ્થામાં રહેતા તે છેલ્લી સ્થિતિમાં આવી પડ્યો. તે વખતે તેના અને પુત્રોએ પેાતાના ધર્મને ઉચિત એવી અક્રિયા કરવા માંડી. તે વખતે પિતાનુ` મન દુ:ખી થતું જોઈ તેના પુત્રાએ પૂછ્યું, “ તાત, તમારા ચિત્તમાં કાઈ ચિંતાની પીડા હોય તેવું દેખાય છે, તે તે શી ચિંતા છે? તે કૃપા કરી નિવેદન કરે.” પુત્રોના આ વચના સાંભળી સર્વધરે પેાતાને સ વૃત્તાંત જણાવ્યા. તે પછી કહ્યું કે, “ પુત્રો, તમારા અનેમાંથી એક જણ જૈનધર્મની દીક્ષા લ્યા. તેમ કરવાથી હું ઋણમુક્ત થઇશ. તમારા જેવા પુત્રોએ મને ઋણમુક્ત કરવા જોઈએ.” પિતાના આ વચન સાંભળી ધનપાલ ભય પામી નીચુ' મુખ કરી રહ્યો. તે વખતે શાભને કહ્યું,–“ તાત, હું... દીક્ષા ગ્રહણ કરીશ, તમે તે જૈન મુનિના ઋણમાંથી મુક્ત થાઓ, અને હૃદયમાં પરમાનંદ ભાવને ધારણ કરે.” પુત્રના આ વચને સાંભળી તે સધર પુરાહિત કાલધર્મ ને પામી દેવલાકે ચાલ્યા ગયા, તે પછી શાલને પિતાની ઉત્તરક્રિયા કરી શ્રી વર્ધમાન સૂરિના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ પાસે જૈન દીક્ષા ગ્રહણ કરી. આથી તેને મધુ ધનપાલ રાષાવિષ્ટ થઈ ગયા અને ત્યારથી તે જૈનધમના પૂર્ણ દ્વેષી થવા લાગ્યા. તેણે પેાતાની સત્તાથી અતિમાં સાધુએના આગમનના નિષેધ કરાવ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy