SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૨૫ છ પ્રકારની યતના પરતીર્થિકાદિ વંદનેત્યાદિ” પરતાર્થિઓ એટલે પરિવ્રાજક સંન્યાસી ભિક્ષુ, અને ભૌત વગેરે શબ્દથી શિવ, કૃષ્ણ, બ્રહ્મા, બૌદ્ધ, પ્રમુખ દેવેનું ગ્રહણ કરવું. તથા અરિહંતની પ્રતિમારૂપ એવા સ્વદે પણ જે દિગંબર વગેરે કુતીર્થિ એ ગ્રહણ કરેલા અને ભૌત એટલે ભૌત મતિઓએ અંગીકાર કરેલા હોય તેમને વંદન સ્તવન ન કરવું. તે પહેલી યતના કહેવાય છે. તેવા દેવોને નમસ્કાર એટલે મસ્તક વડે પંચાંગ વંદન ન કરવું, તે બીજી યતના કહેવાય છે. સમ્યકત્વવંત પુરૂષોએ આ બંનેનો ત્યાગ કરવો. તેનો ત્યાગ ન કરવાથી જે તેવા દેવાને વંદન-સ્તવન વગેરે કરવામાં આવે તો તેના ભક્ત લોકે મિથ્યાત્વ વગેરેમાં સ્થિર થાય છે. - પ્રવચન સારોદ્ધાર નામના ગ્રંથમાં લખેલું છે કે, મસ્તકે ધારી જે કરવામાં આવે તે વંદન કહેવાય છે અને પ્રણામપૂર્વક શ્રેષ્ઠ દવનિ વડે ગુણનું કીર્તન કરવું, તે નમસ્કાર કહેવાય છે. તેને માટે બીજે સ્થળે પણ આ પ્રમાણે લખેલું છે. " वंदण यं करजोऽणं, शिरसा नमण पुयणं च इहनेयं । वायाइ नमुक्कारो, नमसणं मणप्यसाओत्ति ॥ १ ॥" કર જોડવા તે વંદન, મસ્તક નમાવવું તે નમન, વચને કરી નમવું, તે નમસ્કરણ અને મનને પ્રસાદ-પ્રસન્નતા નમંસન સમજવું.”—(૧) પરતીર્થિઓએ પ્રથમ નહીં બોલાવ્યા છતાં, તેમની સાથે આલાપ ન કરવો તે ત્રીજી યતના કહેવાય છે. સમ્યક્દષ્ટિ પુરૂષોએ તેવી આલાપનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. પરતીર્થિઓની સાથે સંલપન કરવું, એટલે વારંવાર ન બેલવું, એ ચોથી યતના કહેવાય છે. સમ્યગદૃષ્ટિએ સંલપન ન કરવું જોઈએ. પરતીર્થિઓની સાથે વિશેષ ભાષણ કરવાથી અતિ પરિચય થાય છે અને તેને લઈને આચાર ભ્રષ્ટ થવાય છે. તેમજ મિથ્યાત્વને ઉદય થઈ આવે છે. કદિ પરતીર્થિઓ પ્રથમ બોલાવે તે સંભ્રમરહિત થઇ લોકાપવાદના ભયથી તેની સાથે થોડું બેલડું. તે પરમાતીર્થિઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા વસ્ત્ર પાત્ર અનુકંપાદાન સિવાય બીજી રીતે ન આપવા એ પાંચમી યતના કહેવાય છે. બીજી રીતે આપવાથી જે તે બીજા લોકોના જોવામાં આવે તો તેમનું બહુમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy