SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી આત્મપ્રબંધ તેને જીવતે રાખીશ. તે સિવાય તેને જીવંત રાખવામાં આવશે નહીં.” યક્ષે રાજાનો આ હુકમ વિજયને જણાવ્યું. મરણના ભયથી ભય પામેલા વિજય પિતાના પ્રાણ બચાવાને તે સર્વ કબૂલ કર્યો પછી રાજ પદ્મશેખરે પોતાના નગરજનોને બેલાવી આ પ્રમાણે આજ્ઞા કરી. નગરજને, આજે આપણે નગરમાં પ્રત્યેક સ્થાને વિવિધ જાતના વાજાઓ વગડાવો. મનહર રૂપને ધારણ કરનારી અને સર્વ ઈન્દ્રિયના સર્વસ્વને હરનારી વેશ્યાઓને ઘેર ઘેર નચાવો.” રાજાની આજ્ઞા થવાથી લોકોએ આખા નગરમાં તેવી ગેઠવણ કરી દીધી. પછી વિજય તે તેલનું પાત્ર લઈ નગરમાં ફરવા નીકળે. તે શબ્દ, રૂપ, રસ, અને ગંધ વગેરે વિષયનો અતિ રસિક હતો, છતાં મરણના ભયથી તે જિતેન્દ્રિય નિર્વિકારી અને મનને તનારે થઈ કોઈપણ સ્થળે ખલના પામ્યા વગર આખા નગરમાં ભમી રાજાની સભામાં આવ્યું અને યત્નથી જાળવેલું તે તેલનું પાત્ર રાજાની આગળ મૂકી તે પ્રણામ કરીને ઊભે રહ્યો. રાજા હાસ્ય કરીને બે, વિજય તું નગરમાં ફર્યો તે વખતે વાઘ, ગીત, અને નૃત્યો થતા હતાં, તે છતાં તે તારા વિના જેવા ચપળ મનને અને ઇન્દ્રિયોને કેવી રીતે વશ કરી ?” વિજય બેલ્યો- સ્વામી ! મરણના ભયથી હું તેમ કરી શક્યો છું, કહ્યું છે કે, “મરણસમ નOિભયં” “મરણ સમાન બીજું ભય નથી.” રાજાએ કહ્યું, “વિજય તું વિષયોમાં તૃષાતુર છે, તે છતાં તે એક ભવમાં મરણના ભયથી પ્રમાદને હણી નાંખે, તો જે મુનિઓ અનંત ભવના ભીરૂ છે અને તત્ત્વોને જાણનારા છે, તે અનંત અનર્થી ઉત્પન્ન કરનારા પ્રમાદને કેમ સેવે ?” રાજાનું આ વચન સાંભળી વિજય એકદમ પ્રતિબુદ્ધ થઈ ગયો. તેના મેહનો ઉદય નાશ પામી ગયો. જિનમતના પરમાર્થને જાણી તેણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. તે વખતે સર્વ લેકે આનંદ પામી ગયા. અને રાજાના સદ્દગુણોને પ્રેમપૂર્વક ગાવા લાગ્યા. આ પ્રમાણે રાજા પદ્મશખરે ઘણાં ભવ્યજીવને જૈનધર્મમાં સ્થાપિત કરી અને જૈન ધર્મના મહિમાને વધારી સુખે રાજ્ય પાલન કર્યું હતું. છેવટે આસ્તિકચરૂપ સમ્યકત્વના લક્ષણના પ્રભાવથી તે ચિરકાલ રાજ્ય કરી દેવગતિને પ્રાપ્ત થર્યો હતો. ભવ્ય જીવોએ આ પાશેખર રાજાના ચરિત્રને સાંભળી પોતાના હૃદયમાં આસ્તિકરૂપ સમ્યક્ત્વના લક્ષણને ધારણ કરવું કે જેથી મોક્ષ સંપત્તિ પ્રાપ્ત થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy