SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૨૩ વિજયના કડીયામાં નાંખી તે વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. તે પછી રાજાએ તત્કાળ નગરની અંદર ત્રણવાર ઉદષણા કરાવી છે. “સર્વ લોકોને ખબર આપવામાં આવે છે કે, આજે રાજાનું એક રત્નાભરણ ગુમ થયેલું છે, તો જે કોઈએ તે લીધું હોય તો તેણે જલ્દી આપી દેવું. જે તે નહીં આપી જાય અને પાછળથી તે જાણવામાં આવશે તો તેના લેનારને સખ્ત શિક્ષા કરવામાં આવશે.” આવી ઉદઘોષણ કરાવી સર્વ નગરના લોકોના ઘર શોધવા માટે પિતાના સેવકને હુકમ કર્યો. સેવકોએ લોકોના ઘર શોધવા માંડતાં વિજયના ઘરમાં શેધ કરી. શોધ કરતાં રત્નના કરંડીયામાં રત્નાભરણ જોવામાં આવ્યું, તે જોઈ તેમણે વિજયને પૂછ્યું, “વિજય ! આ શું ? આ રાજાનું રત્નાભરણે તમારા કંડીયામાં ક્યાંથી ? વિજયે કહ્યું, “હું કાંઈ પણ જાણતો નથી." રાજપુરૂષોએ કહ્યું, “પતે રત્નાભરણની ચોરી કરી અને કહે છે કે, હું કાંઈ જાણતું નથી. એ કેવું કહેવાય ? શા માટે ચોરીને છુપાવે છે? “વિજ્ય ભયથી કાંઈ બોલી શક્યો નહીં તે મૌન ધરીને રહ્યો.” પછી રાજ સેવકોએ તેને પકડી બાંધી લીધો અને તેને રાજાની સમીપે લાવ્યા. રાજાએ સેવકોને છાની રીતે સૂચના કરી કે, હું આશા કરું તે પણ તમારે તેને વધ કરવો નહીં. પછી રાજાએ પ્રકાશથી સભા સમક્ષ કહ્યું, “આ ચેર છે, માટે તેને હણું નાંખો.” રાજાની આવી આજ્ઞા થવાથી રાજ સેવકોએ વિજયને વધ કરવાને સેંપી દીધો. વિજયના સગાંઓ, સ્નેહીઓ અને સંબંધીઓ તે જતા હતા. પણ તેને ખરો ચેર જાણી તેને છોડાવવાને આગળ પડ્યા નહીં. વિજયે પિતાના મનમાં જાણ્યું કે, હવે મારા જીવિતને અંત આવી જશે. પછી તે પેલા યક્ષને દીનવચનથી કહેવા લાગ્યા. “મિત્ર તું દરેક રીતે રાજાને પ્રસન્ન કરી મને છેડાવ અને જીવિતનું દાન આપ." તેની આવી દીનવાણું સાંભળી યક્ષને દયા આવી તેણે રાજાને વિનંતિપૂર્વક કહ્યું, “સ્વામી ! આ મારા મિત્ર વિજય દંડ લઈ છોડી દો અને સર્વ કલ્યાણના સાધનરૂપ એવા જીવિતનું તેને દાન આપે.” યક્ષના આ વચનો સાંભળી રાજા કોપાયમાન થઈને બેલ્યો-“યક્ષ, આ ચારને છોડી દેવો એ મને યોગ્ય લાગતું નથી. તો પણ તારા વચનનું માન રાખવાને એક ઉપાય છે કે તે વિજ્ય મારા ઘરમાંથી એક તેલથી ભરેલું પાત્ર હાથમાં લે અને તેમાંથી એક બિંદુ પણ નીચે પડે નહિ. તેવી રીતે આખા નગરમાં ભમીને મારી પાસે લાવીને મૂકે, તે હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy