SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રી આત્મપ્રબોધ ઉપર શ્રદ્ધા ન રાખે અને પિતાની મંદબુદ્ધિને લઈને તે તરફ અભાવ દર્શાવે તો રાજા પધશેખર જેમ સારથિ વૃષભને વશ કરે તેમ તેને વાદથી તી વશ કરી આહત ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવતા હતા. વળી તે રાજા કોઈ વાર ઘણા લોકોની સભા વચ્ચે ગુરુતત્વની આ પ્રમાણે પ્રશંસા કરતો હતો “હે ભવ્ય લેકે, આ સંસારમાં ગુરુ સર્વોત્તમ છે. જે સદા આ લોકની મમતાથી રાહત, જીવદયાના પ્રરૂપક દુષ્ટ વાદિગણને જીતનાર, કષાય રહિત, ઉપમા રહિત, ઉપશમ રસના સમૂહથી પરિપૂર્ણ હૃદયવાળા, રાગદ્વેષથી વજિત, સંસારથી વિરક્ત, કામ વિકારને નાશ કરનાર, સિદ્ધિરૂપી સ્ત્રી ઉપર પરિચાર કરનાર, સવ દ્રવ્યના પરિહાર કરનાર, ચારિત્રરૂપ મહારત્નને ગ્રહણ કરનાર, સર્વ જીવો ઉપર કરુણ રસ વર્ષાવનાર, અને દુધરે પ્રમાદરૂપ ગજઘટાનો નાશ કરવામાં સિંહ સમાન છે, તે શુદ્ધ ગુરુ કહેવાય છે. જે પ્રાણીઓ મનુષ્યત્વ વિગેરે સર્વધર્મની સામગ્રી પ્રાપ્ત કરી એવા ગુણવાળા ગુરુને સેવે છે, તેવાઓને ધન્ય છે. અને જેઓ તેમના ઉપદેશ વચન રૂપ અમૃતનું પાન કરે છે, તેઓને વિશેષ ધન્ય છે.” આવા વચનો કહી રાજા પદ્મશેખર ઘણું ભવ્ય આત્માઓને પ્રતિબંધ કરતો હતો અને અનેક આત્માઓના પાપકર્મના મલને પ્રક્ષાલિત કરતો હતે. - જ્યારે રાજા આવો પ્રતિબંધ આપતો હતો, તેવામાં એક વિજય નામે શેઠને પુત્ર તે સ્થાને બેઠો હતો. રાજાના વચનમાં તેને પ્રતીતિ આવી નહીં. તેથી તેણે ઉભા થઈને જણાવ્યું, “મહારાજા, તમે જે ગુરુની પ્રશંસા કરો છો, તે સર્વ ગુરુઓ ફેતરાની જેમ સાર વગરના છે; કારણ કે, પવને ચલાવેલા દવજપટની પેઠે ચપળ ચિત્તવાળા તે મુનિઓ વિષયોમાં આસક્ત એવી પિતાની ઈન્દ્રિયોને રોકવાને કેમ સમર્થ થઈ શકે ? ઇન્દ્રાદિક દેવતાઓ પણ તે ઇન્દ્રિયોને રોકવાને સમર્થ થઈ શકતા નથી. તે શ્રેષ્ઠિપુત્રના આ વચન સાંભળી રાજા પોતાના મનમાં ચિંતવવા લાગ્યો. “આ કોઈ દબુદ્ધિ અને વાચાલ છે. આ અલ્પમતિ માણસ આવા વિપરીત વચનોથી ભેળા લોકોને ભમાવી સન્માગથી ભ્રષ્ટ કરશે, માટે આ યુવાનને કોઈ પણ રીતે પ્રતિબંધ કરવો જોઈએ.' આવું ચિતવી રાજાએ યક્ષ નામના એક સેવકને એકાતે બેલાવીને કહ્યું, “યક્ષ, તારે આ વિજયની સાથે ગાઢ મૈત્રી કરવી અને તેને વિશ્વાસ મેળવવો. પછી તેના રત્નના કડીયામાં આ મારૂં મહામૂલ્યવાળું રત્નાભરણ નાંખી દેવું.” રાજાની આવી આજ્ઞા થવાથી તે યક્ષે તે વિજયશેઠની સાથે ગાઢ મૈત્રી કરી અને તેનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો. તે પછી એક દિવસે તે રત્નાભરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy