SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રી આમ પ્રબોધ આવેલા કોઈ ચર પુરૂષે સભા મંડપમાં બેઠેલા રાજાની આગળ વિનંતી કરી કે, “ સ્વામી, મહાબલ નામનો એક સીમાડાને રાજ ઘણા ઉન્મત્ત થઈ ગયો છે. તે અનેક ગામોનો નાશ કરે છે અને સાથે પતિઓને લૂંટે છે. તે દુષ્ટ રાજા તમારા સિવાય કોઈથી વશ થઈ શકે તેમ નથી.” તે ચરના આ વચન સાંભળી રાજાએ પોતાના મંત્રીની સામે જોયું, એટલે મંત્રી વિનયથી બોલ્યા, “મહારાજા, એ બીચારો રંક રાજા આપની આગળ કોણ માત્ર છે ? જ્યાં સુધી આપ મહારાજાએ તેનું આક્રમણ કર્યું નથી, ત્યાં સુધી એ ગર્જના કરે છે. તેને માટે કહ્યું છે કે, " तावद्गर्जति मातंगा, वने मदभरालसाः । शिरोऽवलग्नलांगूलो थावनायाति केशरी ॥ १ ॥" જ્યાં સુધી મસ્તક પર પૂંછડી ચડાવી કેશરીસિંહ આવ્યો નથી, ત્યાં સુધી મદના ભારથી ભરપૂર એવા ગજેન્દ્રો વનમાં ગર્જના કરે છે.” ૧. મંત્રીના આવા વચન સાંભળી રાજાએ ચિતવ્યું કે જે તાબાને રાજા પોતાના દેશ કે મંડળનો નાશ કરનાર થાય, તેને અવશ્ય વશ કરવો જોઈએ. નહીં તો તેને નીતિના ભંગનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. નીતિશાસ્ત્રમાં લખે છે કે, “દુષ્ટસ્ય દંડ: સ્વજનસ્ય પૂજા” એટલે જે દુષ્ટ હોય તેને દંડ આપવો અને જે સ્વજન હોય તેની પૂજા કરવી; માટે આ કાર્યમાં જરા પણ વિલંબ ન કરવો.” આવું ચિતવી રાજાએ આજ્ઞા કરી પોતાના સૈન્યને એકઠું કર્યું અને પોતે સજ્જ થઈ તે મહાબેલ શત્રુ ઉપર ચડાઈ કરવા ચાલ્યા. અનુક્રમે તેના દેશમાં આવ્યો, અને મોટી લડાઈ કરી તે રાજાને ક્ષણવારમાં હરાવી દીધો તે રાજાનું સર્વસ્વ હરી લઈ રાજા સુધમ પાછો ફરી પોતાની રાજધાની પાસે આવ્યો. નગરના મહાજન મંડળે મોટા આડંબરથી સામૈયું કર્યું અને રાજાનો પ્રવેશત્સવ કર્યો. મોટા સૈન્યથી પરિવૃત્ત થયેલે રાજા જેવામાં નગરના મુખ્ય દરવાજા પાસે આવ્યો, તેવામાં તે દરવાજે અકસ્માતુ તૂટી પડ્યો. મોટું અપશુકન થઈ પડયું. પછી રાજા પાછો વળી નગરની બહાર પડાવ નાખીને રહ્યો. પછી મંત્રીએ હજાર લોકોને કામે લગાડી તત્કાળ તે દરવાજો પાછો ઊભે કરાવ્યો. પછી બીજે દિવસે રાજા પ્રવેશ કરવાને આવ્યો, તેટલામાં પાછે તે બીજે દરવાજો પણ તૂટી પડ્યો, પુનઃ પાછો ફર્યો અને ત્રીજીવાર પણ તેમજ બન્યું; પછી રાજાએ કંટાળી પિતાના મંત્રીને આ પ્રમાણે કહ્યું, મંત્રીશ્વર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy