SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૧૭ જયદેવ ! આ દરવાજે વારંવાર કેમ પડતો હશે ? હવે તે કયા ઉપાયે સ્થિર થઈ શકશે ?” મંત્રીએ કહ્યું, “મહારાજ! મેં તે વિષે એક નિમિત્તિયાને પૂછયું હતું, મારા પૂછવાથી તે નિમિત્તિયાએ મને કહ્યું છે કે, “આ દરવાજાના અધિષ્ઠાયકદેવ કોપ પામ્યા છે તે દરરોજ આ દરવાજાને પાડી નાખે છે. જે રાજા પિતાને હાથે અથવા પિતાના માતાપિતાને હાથે એક મનુષ્યનો વધ કરી તેના રૂધિરથી આ દરવાજાનું સિંચન કરે તો તે દરવાજે સ્થિર રહેશે. તે સિવાય પૂજા, બલિદાન વગેરે બીજા ઉપાયથી તે સ્થિર રહેશે નહીં. મંત્રીના આ વચન સાંભળી દયાધમ રાજા બોલ્યા, “મારે એ દરવાજાને સ્થિર રાખવાની કાંઈ જરૂર નથી. જીવનો વધ કર, એ મહાપાપ છે, એવું મહાપાપ મારાથી કદિપણ બનશે નહીં. તેને માટે કહ્યું છે કે, વિ fઉં વર્ણન, મિનેના સૈન | કરતુટયતિ ના શોમાં ચિંતા છે ? ” તે સુવર્ણ શા કામનું છે ? અને તેનાથી શું શભા પ્રાપ્ત થાય તેમ છે? કે જેનાથી કાન તૂટી જાય.” માટે મારે તેવી હિંસા કરીને નગરમાં જવાની જરૂર નથી, જ્યાં હું રહું, તે જ નગર છે.” રાજાના મનની આવી દઢતા જોઈ મંત્રીએ નગરના મહાજનને બોલાવીને કહ્યું, “લોકો, આ નગરને દરવાજો મનુષ્યનું બલિદાન આપ્યા સિવાય ટકી શકવાનો નથી તે મનુષ્યનું બલિદાન કરવામાં રાજા વિરુદ્ધ છે, એટલે રાજાની આજ્ઞા સિવાય તે બની શકે તેમ નથી. માટે હવે તમને યોગ્ય લાગે તેમ કરે.” મંત્રીના આવા વચન સાંભળી સર્વ મહાજન મંડળ રાજાની પાસે આવ્યું અને તેમણે રાજાને જણાવ્યું, “સ્વામી ! જે કામ આપનાથી બની શકે તેવું ન હોય તો તે કામ અમે મળીને કરીશું, તમે પોતે તેમાં મૌન પકડીને રહો.” રાજાએ કહ્યું, “પ્રજાજનો ! એમ બને નહીં. પ્રજાથી પુણ્ય કે પાપ જે કાંઈ થાય છે, તેનો છઠો ભાગ રાજાને પ્રાપ્ત થાય છે. તેથી તેવા પાપ કામનો ભાગ લેવાની મારી ઈચ્છા નથી.” મહાજનોએ પુનઃ આગ્રહથી જણાવ્યું, સ્વામી ! તેના પાપનો ભાગ અમારે અને પુણ્યનો ભાગ તમારો છે, એમ માની અને આજ્ઞા આપો. અને કૃપા કરી મૌન ધરીને બેસી રહે. પ્રજાજનના આવા આગ્રહથી રાજા મૌન ધરીને બેસી રહ્યા. પછી નગરજનેએ પ્રત્યેક ઘરોએ ફરી ઉઘરાણું કરી ઘણું દ્રવ્ય એકઠું કર્યું. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy