SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી આત્મ પ્રમે ધ મરણાદિ ગહન દુ:ખ રહેલુ છે એવા આ સ`સારરૂપ બંદીખાનામાંક રૂપી પેાલીસા અનેક પ્રકારની કદના કરે છે, તેને પ્રતિકાર કરવાને અસમર્થ અને મમત્વથી રહિત એવા પ્રાણી દુઃખે કરી સ`સાર ઉપર વિરક્ત થઈ જાય છે. એવી રીતે બીજુ સંવેગ અને ત્રીજી નિવેદ એ ઉભય લક્ષણા મેક્ષપદને આપનાર હાવાથી સમ્યગ્દષ્ટિ પુરૂષાએ દૃઢપ્રહારીની જેમ તેના સવથા આશ્રય કરવા, પ્રહારીનું દૃષ્ટાંત, માક દાનગરીને વિષે સુભદ્ર નામે એક શેઠ રહેતા હતા. તેને ‘ દત્ત' નામે એક પુત્ર હતા. દત્ત ખાળવયમાંથી જ ઉન્મત્ત જેવા હતા, તે ખીજા બાળકાની ઉપર દઢ પ્રહાર કરતા તેથી લેાકેામાં તે દૃઢપ્રહારીના નામથી આળખાતા હતા. દત્તના તફાનથી લેકે તેના પિતા સુભદ્રને ઠપકા આપવા આવતા હતા. સુભદ્ર પેાતાના ઉન્મત્ત છેકરાને ઘણી રીતે વારતા તે પણ તે ઉચ્છ્વ ખલ છેકા રંજાડ છાડતા નહીં. હુંમેશા નાના બાળકોની ઉપર પ્રહાર કર્યા કરતા હતા. દૃઢપ્રહારીના આવા નઠારા વનથી કંટાળી લોકોએ રાજાની પાસે ફરીયાદ કરી. રાજાએ હુકમ કર્યા એટલે સુભદ્ર શેઠે દત્તને પેાતાના ઘરમાંથી કાઢી મુકો, દત્ત ઘર છોડીને ચાલ્યા ગયા, તેના સ્વભાવ અતિશય ક્રૂર હાવાથી કાઈ ઠેકાણે તે નિવાસને પામી શકો નહીં. તે ફરતા ફરતા કાઇ ચાર લેાકેાની પલ્લીમાં ગયા. ત્યાં સ`સના દેાપથી દૂષિત થઈ તે ચાર બની ગયા. એક વખતે કાઈ દરિદ્રી બ્રાહ્મણના ઘરમાં તે ચારી કરવા પેઠા. તેવામાં તેના આંગણામાં રહેલી ગાય પેાતાના શીંગડાથી તેને મારવા સન્મુખ ઘેાડી આવી. ધાતકી દૃઢપ્રહારીએ પોતાના હાથમાં રહેલી તલવારથી તે ગાયને મારી નાંખી. તે વખતે ઘરમાં સૂતેલા બ્રાહ્મણ હાથમાં લાકડી લઈ તેની સામે આવ્યા, દૃઢપ્રહારીએ તેને પણ તલવારથી મારી નાંખ્યું. તે વખતે તે બ્રાહ્મણની સગર્ભા સ્ત્રી પાકાર કરવા લાગી. ઘાતકી ચારે તેણીને પણ ઠાર મારી નાંખી તે વખતે તેણીના ઉદરમાંથી ગર્ભ બહાર નીકળી તરફડવા લાગ્યો. તેને જોતાં જ તે દૃઢપ્રહારીના હૃદયમાં કોઈ શુભક`ને ઉદય થઈ આવતાં તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થઇ આવ્યો. તે ઘાતકી ચારે પેાતાના મનમાં આ પ્રમાણે ચિંતવ્યુ, અહા ! શું મેં પાપીએ આવુ' ધાર પાપ કર્યું' ? મારા મનુષ્યજન્મને ધિક્કાર છે કે જે જન્મ આવા પાપના સમૂહને કરનાર થઈ પડયું.” આવું ચિંતવી તેણે પંચમુષ્ટિ લેચ કરી ચારિત્રના અગીકાર કર્યા અને એવા અભિગ્રહ ધારણ કર્યો કે, જ્યાં સુધી મને આ કરેલા પાપનું સ્મરણ થઈ આવે ત્યાં સુધી મારે અન્નપાણી ગ્રહણ કરવા નહીં, 66 આવા અભિગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy