SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૧૩ પ્રભુની પાસે આવ્યા. રાજર્ષિ દરમસારમુનિને જોઈ વીરપ્રભુ બેલ્યા, “રાજર્ષિ ! ચંપાનગરીમાં ભિક્ષાને અર્થે જતાં કોઈ મિથ્યાષ્ટિના વચનથી કોઈ પામી પછી ક્રોધથી શાંત થઈ તું અહીં આવેલે છે એ વાત યથાર્થ છે?" મુનિએ કહ્યું, હા, એ વાત યથાર્થ છે. પ્રભુ બોલ્યા- “મુનિ, જે કઈ સાધુ અથવા સાવી કષાયને વહન કરે છે, તે આ સંસારને દીર્ધ કરે છે અને જે ઉપશમભાવને ધારણ કરે છે તેનો સંસાર અલ્પ થઈ જાય છે. પ્રભુના આ વચનો સાંભળી દમ સારમુનિએ કહ્યું- “ભગવાન ! કૃપા કરી મને ઉપશમનું સારભૂત પ્રાયશ્ચિત્ત આપે. પછી પ્રભુએ તપ કરવારૂપ પ્રાયશ્ચિત્ત આપ્યું. પછી તે મહર્ષિએ પ્રભુની પાસે અભિગ્રહ લીધો કે, “સ્વામી ! જ્યારે મને કેવળજ્ઞાન થશે ત્યારે હું આહારને ગ્રહણ કરીશ” આ અભિગ્રહ ધારણ કરી તે મહાત્મા દમ સારમુનિ તપ તથા સંચમથી પોતાના આત્માને ભાવતા વિચરવા લાગ્યા. પ્રમાદથી ઉત્પન્ન થયેલા દોષને નિંદતા અને શુભ અધ્યવસાયને ધારણ કરતા તે મહર્ષિને તે પછી સાતમે દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું. દેવતાઓએ આવી તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. મહર્ષિ દમસાર કેવલી ભવ્ય જીવોને પ્રતિબંધ આપી બારવર્ષ સુધી કેવલપર્યાય પાળી અંતે અનશન કરી મોક્ષપદને પામ્યા હતા. આ પ્રમાણે ઉપશમભાવ ઉપર દમસારમુનિનું સુબોધક દૃષ્ટાંત છે. એવી રીતે બીજા પણ સમ્યકત્વધારી છએ સર્વ આત્યંતર તોપને નિવારવા માટે અને પોતાના તથા પરના ઉપકાર કરનારા ઉપશમરસને વિષે મગ્ન થવું કે, જેથી પરમાનંદના સુખની શ્રેણું ઉલ્લસિત થાય છે એ ઉપશમ નામનું પ્રથમ લક્ષણ કહેવામાં આવ્યું. સંવેગ નામનું બીજું લક્ષણ અતિશય શ્રેષ્ઠ એવા દેવ તથા મનુષ્યના સુખનો અભિલાષ રાખવા, એ સંવેગ નામનું સમ્યક્ત્વનું બીજુ લક્ષણ કહેવાય છે. સમ્યગદાઝે પુરૂપ ઇન્દ્ર તથા ચક્રવર્તીના મનોહર સુખને પણ અનિત્ય અને દુઃખાનુબંધી માને છે અને શાશ્વતનિત્ય આનંદના સ્વરૂપવાળા મોક્ષ-સુખને જ વાંછે છે. એ સમ્યકત્વનું બીજું સંવેગલક્ષણ કહેવામાં આવ્યું. સમ્યકત્વનું ત્રીજું લક્ષણ નિર્વેદ. નારકી તથા તિયચ આદિ સાંસારિક દુઃખથી કંટાળી જવું. તે નિર્વેદ નામે સમ્યક્ત્વનું ત્રીજું લક્ષણ કહેવાય છે. સમ્યગ્દષ્ટિ પ્રાણીઓ જેમાં જન્મ૧. કોધ–કષાય. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy