SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી આત્મ પ્રબોધ મૃદુર્વ મૃગુ ઋા, દિનg a | મઃ ક્ષિળોતિ વાછનિ, કુમાનિ સુનોજીત '' || ૨ કોમળ વસ્તુની અંદર કમળતા અને કઠિન વસ્તુની અંદર કઠિનતા વખાણવા છે. જેમકે ભમરે કષ્ટને ઠોલે છે. અને પુષોને ઠોલતો નથી-(૧). તેથી આ ગામના દુષ્ટ લોકોને હુ કષ્ટમાં પાડીશ. આ પ્રમાણે વિચારી તે મુનિએ કોપથી આકુળ-વ્યાકુળ થઈ કોઈ છાયાવાળા પ્રદેશમાં ઊભા રહી ઉત્થાનકૃત ગણવાનો પ્રારંભ કર્યો, જે જે ઉત્થાનશ્રતમાં ઉદ્વેગને ઉત્પન્ન કરનારા સૂત્રો રહેલા છે તે સૂત્રોના પ્રભાવથી જે દેશ, નગર કે ગામ સુખે વસવા ચોગ્ય હોય તે દુઃખે વસવા યોગ્ય થઈ જાય છે, રાજર્ષિ દમ સારમુનિએ તે સૂત્રને ગણવાનો આરંભ કર્યો. જેમ જેમ તે મુનિ તેને ગણવા લાગ્યા તેમ તેમ ચંપાનગરીની અંદર અનેક પ્રકારના અકસ્માતો થવા લાગ્યા. નગરના સવ લોકો ભયભીત થઈ ગયા. અને શાકાકુલ થઈ પોતપોતાનો ધન ધાન્યાદિકને ત્યાગ કરી. માત્ર જીવિત લઈ દશે દિશાઓમાં નાસવા લાગ્યા. જ્યારે પ્રજા નાસવા લાગી એટલે રાજા પણ પોતાના સમૃદ્ધિમાન મહેલને ત્યાગ કરી નાસી ગયે. સર્વનગર શુન્ય થઈ ગયું. આ વખતે નગરનો આવો દેખાવ જોઈ અને લોકોને કષ્ટ પામતા જોઇને તે મુનના હૃદયમાં પશ્ચાત્તાપ થવા લાગ્યો. તત્કાળ તેઓ તે સૂત્રની ગણના કરવાથી નિવૃત્ત થઈ ગયા. તેમણે પોતાના મનમાં ચિતવ્યું “અરે ! આ મેં શું કર્યું ? મેં કારણ વગર આ લોકોને દુઃખી કર્યા. સવાનું વચન અ યથા હાય નહીં. વીરપ્રભુએ મને કહ્યું કે, કષાયના ઉદયથી તું કેવળજ્ઞાનને હારી ગર્યો છે. એ વીરનું વચન યથાર્થ થયું છે, આ પ્રમાણે ચિતવી અતિ કરૂણારસમાં મગ્ન થયેલા મુનિએ સર્વ લોકોને સ્થિર કરવા માટે સમુત્થાન શ્રતને ગણવા માંડયું. એ શ્રુતના સૂત્રોને ગણવાથી દેશ, નગર કે ગામ સુવાસિત થાય છે. તેમણે આલ્હાદ આપનારા તે સ્ત્રીનું પરાવર્તન જેમ જેમ કરવા માંડ્યું, તેમ તેમ સર્વ પ્રમુદિત થતાં નગરમાં પાછા આવવા લાગ્યા, રાજા પણ સહર્ષ થઈ પિતાના દરબારમાં આવ્યો, સર્વનગર નિર્ભય થઈ ગયું. અને સર્વ લોકો સ્વસ્થ થઈ ગયા. પછી દમસાર મુનિ તપથી કૃશ થઈ ઉત્કૃષ્ટ એવા શમરસમાં મગ્ન થતા તે નગરમાંથી આહાર પાછું લીધા વગર પાછા વળ્યા અને વિનય સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy