SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી આત્મ પ્રબંધ "ता तुंगो मेरुगिरि, मयरहरो होइ तावदुत्तारो। ता विसमा कजगइ, जाव न धीरा पवजंति ॥ १ ॥" જ્યાં સુધી ધીર પુરૂષ પ્રત્રાજિત થયા નથી, ત્યાં સુધી તેમને મેરૂપવત ઉંચે લાગે છે, સમુદ્ર દુસ્તર લાગે છે, અને કાર્યની ગતિ વિષમ લાગે છે."–(૧) “હે પૂજ્ય માતાપિતા ! આથી હું સંયમ ગ્રહણ કરવાને હિંમત ધરું છું. મને સંપૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત થયેલ છે. પૂર્વે મેં અનંતીવાર સંસારના નિસાર સુખ ભોગવેલા છે, તેવા અસાર સુખને વિષે હવે મારી ઇચ્છા નથી. સંસારની આધિ તરફ મને સંપૂર્ણ તિરસ્કાર છે તેથી તમે મને અવિલંબે આજ્ઞા આપો જેથી હું સંયમને અંગીકાર કરું.” દમસાર કુમારને સંયમને વિષે આવો ભાવ જોઈ તેમજ દઢ નિશ્ચય જાણું માતાપિતાએ તેને સંયમ લેવાની આજ્ઞા આપી. પછી તેમણે પોતાના કુમારનો દીક્ષાસવ કર્યો. પવિત્ર વૃત્તિવાળા દમ સારે વર્ધમાન પરિણામથી શ્રી વીરપ્રભુ પાસે આનંદપૂર્વક દીક્ષા લીધી. પછી તેના માતા પિતા પરિવાર સહિત પિતાને સ્થાને ચાલ્યા ગયા હતા. રાજર્ષિ દરમસાર તે પછી ચારિત્રધર્મને યથાર્થ રીતે પાળવા લાગ્યા. છઠ અઠમ વગેરે તપસ્યા કરી તેમણે કમ નિર્જરા કરવા માંડી. એક દિવસે મહાનુભાવ દમસાર મુનિએ શ્રી વીર પ્રભુની પાસે એ અભિગ્રહ ગ્રહણ કર્યો કે, હે ભગવાન, હું જાવજીવ સુધી મા ખમણ તપ અંગીકાર કરીને વિચરીશ.” વીરપ્રભુએ કહ્યું, “દેવાનુપ્રિય જેમ તમને સુખ ઉપજે તેમ કરે” પછી રાજર્ષિ દમસર મુનિએ મહા તપને આચરવા લાગ્યા. ઘણા માસ સુધી એ તપસ્યા કરવાથી તેમનું શરીર શુષ્ક થઈ ગયું. માત્ર શરીરમાં હાડપિંજર રહેલું છે. આ વખતે ભગવાન્ મહાવીર પ્રભુ ચંપાનગરીમાં સમોસર્યા હતા. મહાત્મા દમ સારમુનિ તેમની પાસે આવી ચડયા. એક સમયે તે રાજર્ષિ મા ખમણના પારણાને દિવસે પહેલી પિરસીએ સ્વાધ્યાય દધ્યાન કરી બીજી પારસીએ ધ્યાન કરતાં તેમના મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે, આજે વીરપ્રભુને એવો પ્રશ્ન કરો કે, હું ભવ્ય છું કે અભવ્ય છું. ચરમ છું કે અચરમ છું. મને કેવળજ્ઞાન થશે કે નહીં થાય? “આવો વિચાર કરી તેઓ જ્યાં વીરપ્રભુ વિરાજમાન હતા, ત્યાં આવી તેમને ત્રણ પ્રદક્ષિણા આવી વંદના કરી આગળ બેઠા. તેવામાં ત્રિકાળદર્શી વીરપ્રભુએ કહ્યું, “દમસાર મુનિ, આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy