SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૦૯ હતો. તે માળવયમાંજ બેાંતેર કળામાં પ્રવીણ બની ગયા; તેથી તે તેના પિતાને હૃદયના આન`દને ઉપજાવતો હતા, અનુક્રમે ક્રમસાર ચૌવન વયને પ્રાપ્ત થયો. પિતાએ તેને ઘણી જ રાજકન્યાએ સાથે પરણાવી યુવરાજ પદ ઉપર નીમી દીધા. રાજકુમાર દમસાર પછી સુખે કાળ નિગમન કરતો હતો. એક દિવસે તે નગરની સમીપે ભગવાન મહાવીરસ્વામી સમાસર્યાં, દેવતાઓએ આવી તેમનુ સમવસરણ કર્યુ, પદા વદન કરવાને આવી. આ વખતે રાજા સિંહરથ પેાતાના કુમારની સાથે સારવાર તેમને વદના કરવાને આવ્યા છે ચામર વગેરે રાજચહ્નોને દૂર મૂકી રાજા પ્રભુની સમીપે આવ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી ઉત્કૃષ્ટ ભક્તિ સાથે વિધિપૂર્વક વદના કરી યોગ્ય સ્થાને બેઠા. પછી પ્રભુએ મનુષ્ય તથા દેવતાની પદામાં ઉત્તમ પ્રકારની ધ દેશના આપી. પદા ધની દેશના સાંભળી પાતપેાતાને સ્થાને ચાલી ગઈ. તે વખતે દમસારકુમારે ભગવંતને પ્રદક્ષિણા કરી વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું “ સ્વામી, આપે સવ વિરતિરૂપ ધર્મને જે ઉપદેશ આપ્યા, તે મને છે; માટે હું આપની પાસે દીક્ષા લઇશ. પણ જે મારા માતાપિતા આજ્ઞા આપશે તે જ હું દીક્ષા લઇશ.” 66 66 પ્રભુએ ગ‘ભીર સ્વરથી કહ્યું, “ દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરે; પણ પ્રતિબંધ કરો। નહીં, ” પ્રભુના આ વચન સાંભળી મસારકુમાર ઘેર આવ્યો અને તેણે માતાપિતાને આ પ્રમાણે કહ્યુ, “ પૂજ્ય માતાપિતા ! આજે મે... શ્રી વીરપ્રભુને ભક્તિથી વાંધા છે તેમના ઉપદેશ મને રુચિકર લાગ્યો છે. જો આજ્ઞા આપે તો હું પ્રભુની પાસે ચારિત્ર લેવાની ઈચ્છા રાખુ. છુ, કુમારનાં આ વચન સાંભળી માતાપિતાએ કહ્યુ, વત્સતુ.... હજી બાળક છે. તે. ભાગ્યકને ભાગવેલા નથી, તેથી તારાથી ચારિત્ર પાળી શકાય નહીં સંયમમા` પાળવા ઘણા જ મુશ્કેલ છે, તીક્ષ્ણ તરવારની ધાર ઉપર ચાલવા જેવા છે. તારું શરીર ઘણુ જ સુકોમળ છે, તેથી તારાથી મુનિના પરિષહા સહન થઈ શકશે નહીં; માટે આ સ`સારના સુખ ભાગવ્યા પછી યાગ્ય વયે ચારિત્ર લેજે, “ માતાપિતાના આ વચનો સાંભળી ક્રમસારકુમાર નમ્રતાથી બેલ્યો“ પૂજ્ય માતાપિતા ! તમાએ જે સચમની દુષ્કરતા બતાવી તે યથાર્થ છે, પરંતુ દુષ્કરતા કાચર પુરૂષોને લાગે છે, ધીર પુરુષોને લાગતી નથી. ધમવીર પુરૂષો સચમની ગમે તેવી મુશ્કેલી હોય તે પણ તેને સાધ્ય કરવાને સમર્થ થઈ શકે છે, તેને માટે કહ્યુ છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy