SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મ પ્રબોધ અંબડના મુખથી આ વાત સાંભળી સુલસાને અતિશય આનંદ થશે. અને જે દિશામાં પ્રભુ વિહાર કરતા હતા, તે દિશા તરફ અંજલિ જેડી, પ્રભુને હૃદયમાં ધારણ કરી ઉત્તમ વાણીથી પ્રભુની સ્તુતિ કરી. તેણુને આશય જાણવાને માટે અંબા આ પ્રમાણે બેલ્યો-“મહાસતી ! આ નગરની બહાર હમણું બ્રહ્મા, વિષ્ણુ, અને શંકર પ્રત્યક્ષ આવ્યા હતા, તેમના દર્શન કરવાને તમે ગયા હતા કે કેમ ? સુલસા બોલી “દેવ ! જે પુરૂષો જૈનધર્મમાં અનુરક્ત થયા હોય, તેઓ રાગદ્વેષરૂપ શત્રુઓને જીતનાર, ભવ્ય ને ઉપકાર કરનારા, સર્વજ્ઞ અતિશય સંપન્ન અને પિતાના તેજથી સૂર્યને પણ પરાજિત કરનાર એવા દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુને મૂકી રાગ, દ્વેષ તથા માહથી પરાભવ પામેલા, નિરંતર સ્ત્રી સેવામાં તત્પર રહેનારા, વધ, બંધન વગેરે ક્રિયાને આચરનારા, આત્મધર્મને નહીં જાણનારા અને સૂર્યની આગળ ખદ્યોત જેવા દેવાને જેવા કેમ ઉત્સાહ કરે? અર્થાત્ ન જ કરે. કોઈ પુરુષે પરમ આલ્હાદ આપનારા અમૃતનું પાન કર્યું હોય તેને ખારું પાણી પીવાની ઇચ્છા કેમ થાય ? કદિપણ ન થાય, જેણે હીરા, માણેક તથા રત્નોનો વેપાર કર્યો હોય તેને કાચના કટકાનો વેપાર કરવો કેમ રુચે ? હે દેવતા, તમે જિનેશ્વરના કહેલા ભાવને જાણે છે, અને તેમણે પ્રરૂપેલા ધર્મને વિષે રક્ત છે, છતાં મને આ પ્રશ્ન કેમ કરો છો ?' સુલતાના આ વચનો સાંભળી અંબડ અત્યંત પ્રસન્ન થઈ ગયો. તેણે સુલસાની ધમ ઉપરની સ્થિરતાની પ્રશંસા કરી. પછી તેણે બ્રહ્મા, વિષ્ણુ, વગેરેના સ્વરૂપને ધારણ કરવાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી તેને મિથ્યાદુકૃત કહી તે ગયે. પછી અંબડને શ્રી વિરપ્રભુ પાસે ગ્રહણ કર્યા છે બાર વ્રત જેમણે એવા સાતસે શિવે થયા હતા. તે અંબડના શિષ્યો કાંપિલપુરથી વિહાર કરી પુરિમાળપુર જતા હતા. માર્ગે જતા તેઓ તૃપાથી આકુળવ્યાકુળ થઈ ગયા. તેવામાં ગંગા નામની એક મોટી નદી આવી પણ કોઈ જળ આપનાર ત્યાં ન હતું. તેઓ સર્વે અદત્તાદાનથી વિરક્ત હતા. એટલે તેઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા. હે દેવાનુપ્રિયે ! આપણા સાતસમાંથી કોઈ એક પિતાના વ્રતનો ભંગ કરીને જે જલપાન કરાવે તે બાકીના બધાના વ્રતનું રક્ષણ થાય. તો પણ કોઇ વ્રતનો ભંગ કરવા તૈયાર થયું નહીં. પછી તે એ તે સ્થળે અનશન વ્રત ગ્રહણ કર્યું. હૃદયમાં શ્રી મહાવીર પ્રભુનું દયાન કરતાં અને પિતાના ગુરુ અંબડને નમન કરતાં તેઓ સમાધિમરણથી કાળ કરી પાંચમા દેવલોકને પ્રાપ્ત થયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy