________________
૧૦૫
પ્રથમ પ્રકાશ
વડે વિચાર કરીશ તા માલૂમ પડશે કે અસદ્દ વ્યવહારથી શાસનની ઉન્નતિ થતી નથી પણ ઉલટી લેાકેામાં હાંસી થાય છે,
“ સુલસાના આવાં દઢતા ભરેલા વચને સાંભળી તે પુરુષ ત્યાંથી ચાલી નીકળ્યા અને અબડની આગળ આવી તેણે તે સવ વૃત્તાંત નિવેદન કર્યા. તે ઉપરથી અંડે પેાતાના હૃદયમાં વિચાર કર્યા કે, “ વીર પ્રભુએ સભા સમક્ષ જે સુલસાને ધર્મલાભ પૂછાવ્યા, અને તેણીની સ’ભાવના કરી તે સર્વ રીતે બ્રિટન છે. તે વખતે નીચે પ્રમાણે બે પદ્ય બાલ્યા હતા.
मया व्यामोहितं विश्वं विश्वं न सुलसा पुनः । तमसा ग्रस्यते एते न प्रदीप शिखा पुनः ॥ १ ॥
तथामुष्य मनेारुद्धं, त्रिपुलै रहतां गुणैः
स्थातु मिष्टे मया तत्र महिमा नहि मादृशाम् || २ ||
''
“ મેં બધા વિશ્વને માહિત કર્યું, પણ સુલસાને માહિત કરી નહીં. અંધકાર લોકાને ગ્રસે છે પણ તે દિવાની શિખાને ગ્રસી શકતુ નથી. (૧)
આ સુલસાનું મન અરિહંતાના વિશાળ ગુણાથી એવુ` રૂધાઇ ગયુ` છે કે જેમાં મારા જેવાઓના મહિમા રહી શકે એવા અવકાશ રહ્યો નથી. (૨)
આ પો કહી અ`બડ શ્રાવકે વિચાયુ· કે, “ સુલસાને મે ઘણી રીતે ચલાયમાન કરી છતાં પણ તે ચલિત થઇ નહીં તેની દૃઢતાને પૂર્ણ ધન્યવાદ ઘટે છે.”
Jain Education International
આવુ' વિચારી અબડ શ્રાવકે પોતાનું માયારૂપ ફેરવી સ્વાભાવિક રૂપ ધારણ કર્યું, હૃદયમાં પ્રસન્ન થઈ સુલસાના ઘરમાં આવ્યેા. સતી સુલસા તેને મૂળરૂપ ધારી જોઇ બેઠી થઈ અને તેને એક સાધર્મ બધુ તરીકે માન આપી આ પ્રમાણે બેલી-હે ત્રણ જગતના સ્વામી શ્રી વીર પ્રભુના શ્રાવક, તમે કુશળ છે !” એમ સુખશાતા પૂછી તેના ચરણનુ પ્રક્ષાલન કરી પોતાના ગૃહ ચૈત્યનુ` વદન કરાવ્યું. અબડ શ્રાવક પણ વિધિપૂર્વક ચૈત્યવંદન કરી સુલસા પ્રત્યે. બાલ્યા : હૈ, મહાસતી! આ ભરતક્ષેત્રને વિષે તમે એક જ ધર્મને વિષે દઢતાવાળા અને પુણ્યવાન છે; કારણ કે, શ્રી વીર પ્રભુએ મારે મુખે તમાને ધર્મ લાભ કહેવરાવ્યા છે.
66
૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org