SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી આત્મ પ્રમાધ ઉપર ચંદ્ર ધારણ કર્યાં, જટામાં ગંગા, ગજચમ ના વસ્ત્રો, શરીરે ભસ્મ, એક હાથમાં ત્રિશૂળ, ખીજા હાથમાં ખપ્પર, ગળામાં રૂઢમાળ અને ખેાળામાં પાવતી ધારણ કરેલા હતા. તે શકરરૂપે લોકેાને કહેતા કે, આ જગન્ના સર્વ પ્રાણીઓના સંહાર કરનાર હુ` છું. મારા જેવી કેાઈનામાં શક્તિ નથી અને મારા સિવાય કાઈ પરમેશ્વર જ નથી. નગરના લેાકેા તેના દર્શન કરવાને જવા લાગ્યા પણ સમ્યક્ત્વથી વિભૂષિત એવી સુલસા ત્યાં ગઈ નહીં. તે પાતના ધમ વિષે દૃઢતા ગ્રહણ કરીને બેસી રહી. અંખડ શ્રાવકે જાણ્યુ કે, સુલસા પેાતાના ધર્મમાં દૃઢ રહી છે. પછી ચેાથે દિવસે તેણે ઉત્તર દિશામાં સમવસરણની રચના કરી. આઠ પ્રાતિહાય સહિત જિનેન્દ્રનુ રૂપ ધારણ કરી તેમાં તે વિરાજીત થયા. આ વાર્તા સાંભળી ઘણા લાકા તેને વંદન કરવા ગયા. અને નગરના લેાકેાને આહત ધમ ના ઉપદેશ આપવા માંડયા, તથાપિ ધર્મને વિષે દૃઢતાવાળી મુલસા તે સ્થળે ગઈ નહીં. આ વાત અંખડના જાણવામાં આવતાં તેણે સુલસાના મનને ક્ષેાભ પમાડવા માટે એક પુરૂષને તેણીના ધેર માકલ્યા. તે પુરૂષે સુલસાના ઘેર આવી આ પ્રમાણે કહ્યું : “ભદ્રે ! આ નગરીની બહાર શ્રી અરિહંત ભગવાન્ સમેાસર્યાં છે. તેમને વંદના કરવાને માટે તમે કેમ જતા નથી ?” સુલસા બેાલીઃ “હે મહાભાગ ! હાલ આ પૃથ્વીને વિષે શ્રીવીર ભગવાન્ સિવાય બીજા કાઈ તીથંકર વિદ્યમાન નથી, અને શ્રી વીરભગવાન્ તા હાલ બીજા દેશ તરફ વિચરે છે, તે એકદમ અહીં શી રીતે આવે ? કાઇપણ રીતે વીરપ્રભુને અહીં આવવાના સ‘ભવ નથી. “સુલસાના આ વચન સાંભળી તે પુરૂષે કહ્યું: “અરે ભાળી સ્ત્રી ! આતા પચ્ચીશમા તીથ કર છે; તેઓ હમણાં જ ઉત્પન્ન થયેલા છે, માટે તમે તેમની પાસે જઈ કેમ વંદના કરતા નથી?' સુલસાએ આક્ષેપ કરીને કહ્યું: “ભદ્ર! એ વાત તદ્દન અટિત છે, આ જગતને વિષે પચ્ચીશમા તી་કર ક્રિષણ થતા જ નથી. મને તેા આ કાઈ માયાવી પુરૂષ લાગે છે, કપટ આડંબરથી ભાળા લાકાને ઠગે છે. તેવા ધૃતની પાસે મારે શા માટે જવુ જોઈએ ? ” સુલસાના આ વચન સાંભળી તે પુરૂષે વિચાર કરી કહ્યુ, “ભદ્ર ! તમારે એવી શકા શા માટે લાવવી જોઈએ. એ ધૂત હોય કે કપટી હાય પણ જૈનશાસનની ઉન્નતિને તેા કરનારા છે, ગમે તે રીતે શાસનની ઉન્નતિ થતી હાય, તેમાં દોષ જોવાના નથી.” સુલસા જરા નાખુશ થઈને બાલી “ભદ્ર ! આવી વાત કહેવા ઉપરથી મને લાગે છે કે, તુ પણ ભાળા (મૂખ') માણસ છે, જો તું જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy