SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ પ્રથમ પ્રકાશ શ્રી વિરપ્રભુનો ઉત્તમ શ્રાવક હતો, તે વીરપ્રભુને નમી યોગ્ય સ્થાને બેસી પ્રભુના મુખથી ધર્મદેશના સાંભળતો હતો. તે પ્રભુને વંદના કરી આ પ્રમાણે બેલ્યોઃ “સ્વામી ! હાલ રાજગૃહનગરમાં જવાની મારી ઈચ્છા છે.” પ્રભુએ વિચાર કરી કહ્યું, “દેવાનુપ્રિય ! જે તમારે ત્યાં જવું હોય તો ત્યાં નાગસારથિને ઘેર અમારી શ્રાવિકા સુલસા છે, તેને મધુર વાણીથી ધર્મશુદ્ધિ સાથે સુખશાતા પૂછજો.” પ્રભુની આજ્ઞાને અંગીકાર કરી અંબડ શ્રાવક લબ્ધિના બળથી આકાશમાગે રાજગૃહનગરીમાં આવ્યો. તે નાગ સારથિના દ્વાર આગળ આવીને ઉભા રહ્યા, તે વખતે તેણે પિતાના મનમાં ચિતવ્યું કે, “ ભગવાન વીરપ્રભુએ જેને માટે કાળજી રાખેલી છે, એવી સુલસી ધમને વિષે કેવી દઢ હશે? તેની પરીક્ષા કરવી જોઈએ. “આવું ચિતવી તેણે તત્કાળ વૈક્રિયલબ્ધિ વડે બીજું રૂપ કરી સુલસાના ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પેસી પ્રથમ સુલસાની પાસે ભિક્ષા માગી. સુલસાએ સત્પાત્ર સિવાય બીજાને ભિક્ષા આપવી નહીં એવો નિયમ ગ્રહણ કરેલો હતો, તેથી પ્રતિજ્ઞા પાળવા તેણે અંબડ શ્રાવકને પિતાના હાથે ભિક્ષા આપી નહીં. અંબડ ત્યાંથી પાછા ફર્યો અને નગરની બહાર પૂર્વમાં જઈ બ્રહ્માનું સ્વરૂપ વિકવ્યું. ચાર મુખ અને ચાર ભુજાઓ ધારણ કરી. અંગ ઉપર બ્રહ્મસૂત્ર અને કંઠમાં રુદ્રમાળા આરોપિત કરી તે સાવિત્રી સાથે હંસના વાહન ઉપર બેઠો હતો. તે રક્તવર્ણ બ્રહ્મા બની ચારે મુખે ચાર વેદોનો વિનિ કરવા લાગ્યો. આ બ્રહ્માના પ્રત્યક્ષ દર્શન કરવાને રાજગૃહીનગરીના હજારો લેકે આવવા લાગ્યા. કેટલાક તેની ભક્તિ કરવા, કેટલાક કૌતુક જેવા અને કેટલાક મનની ઈચ્છા પૂરી કરવા તે સ્થળે એકઠા થવા લાગ્યા. આ વાર્તા સતી સુલતાના સાંભળવામાં આવી તો પણ સમ્યકત્વને વિષે દઢ નિયમવાળી તે રમણ કપટી બ્રહ્માની પાસે ગઇ નહીં. જ્યારે સુલસા વંદન કરવા આવી નહીં એટલે અંબડ શ્રાવકે બીજે દિવસે દક્ષિણ દિશામાં વિષ્ણુનું સ્વરૂપ ધારણ કર્યું. ગરૂડ ઉપર આસન કર્યું, પીળા વસ્ત્રો ધારણ કર્યા, ચારે ભુજામાં શંખ, ચક્ર, ગદા અને શાર્ગ ધનુષ્ય રાખ્યા, સાથે લક્ષ્મી તથા બીજી ગોપાંગનાઓ સહિત લીલા પ્રદર્શિત કરી. તેના દર્શન કરવા અનેક લેકે દોડી ગયા. પણ મિથ્યાવીઓના પરિચયથી ભય પામતી તે શુદ્ધ શ્રાવિકા તે સ્થાને ગઈ નહીં. જ્યારે સુલસા વિષ્ણુના સ્વરૂપથી લલચાણું નહીં એટલે અંબડે ત્રીજે દિવસે પશ્ચિમ દિશામાં શંકરનું રૂપ વિકવ્યું. તે મહાદેવ વાઘના ચમને ધારણ કરી વૃષભના વાહન ઉપર બેઠા હતા. ત્રણ નેત્રી અને મસ્તક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy