SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૦૭ અંબડ શ્રાવક મૂળ પરિવ્રાજક હતો, પણ તે આહત ધર્મને પ્રાપ્ત કર્યા પછી સ્થળ હિંસાનો ત્યાગ કરતો, નદી વગેરે જળાશયોમાં કીડા ન કરે, નાટક તથા વિકથાદિક અનર્થદંડ નહીં આચરતો, તું બી, લાકડાં કે માટીનાં પાત્રો વજી બીજા પાત્ર નહીં સ્વીકારતો, ગંગાની મૃત્તિકા સિવાય બીજી વસ્તુઓથી વિલેપન ન કરતે, કંદમૂળનું ભક્ષણ છેડી દેતો, આધાર્મિક આહારનો પરિહાર કરતો, માત્ર મુદ્રા અલંકારને ધારણ કરતો, કાષાય વોને પહેરતો, જળને ગળી પાન કરતે. અધ આઢક પ્રમાણ જળથી સ્નાન કરતો અને શ્રી જિનપ્રણીત ધર્મ વિષે બુદ્ધિ રાખતો. પોતાના જીવનને સફળ કરતો હતો. છેવટે છ માસનું અનશન ગ્રહણ કરી અંબડ શ્રાવક સમાધિથી મૃત્યુ પામી પાંચમા દેવકને પ્રાપ્ત થયો હતો. તે દેવલોકમાં દિવ્ય ભંગ ભેગવી અનુક્રમે મનુષ્ય ભવ પામી ચારિત્રની આરાધના કરી મોક્ષપદને પામશે. સતી સુલસાએ હૃદયમાં ધર્મની સ્થિરતા ધારણ કરી, સમ્યકત્વને ઉત્તમ પ્રકારે દીપાવી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું હતું. તે મહાસતી આ ભરતક્ષેત્રને વિષે આવતી વીશીમાં શ્રી નિર્મમ નામે પંદરમાં તીર્થકર થશે. આમ બીજા ભવ્ય જીવોએ પિતાનું સમ્યકત્વરત્ન દીપાવવા ધર્મ ઉપર સ્થિરતા કરવા સર્વદા પ્રયત્ન કરો. જેથી આ ત્રણ જગતના શિખર ઉપર રહેલા મેક્ષપદની પ્રાપ્તિ અવશ્ય થશે. એવી રીતે સમ્યકત્વની સ્થિરતા ઉપર સુલસાનો વૃત્તાંત કહેવામાં આવ્યા. સમ્યક્ત્વનું પાંચમું ભૂષણ ભક્તિ. પ્રવચનને વિનય કરવો–વૈયાવચ્ચ કરવી–તે ભક્તિ કહેવાય છે. એ સાચા ભાવે કરવાથી સમ્યકત્વને શોભાવે છે, માટે તે સમ્યકત્વનું ભૂષણ કહેવાય છે. તેનાથી અનુક્રમે માનુષી તથા દેવી સંપત્તિ પ્રાપ્ત થાય છે અને પરિણામે તે મોક્ષને આપે છે. તે ઉપર શ્રીબાહુ તથા સુબાહુ આદિન દષ્ટાંત પ્રખ્યાત છે. શ્રીબાહુ સાધુએ ઉલ્લસિત ભાવથી પિતાના ગુરુ આદિ પાંચ સાધુઓને આહાર લાવી આપી તેમજ બીજી વૈયાવચ્ચ કરી ઉત્તમ પ્રકારની ભક્તિ કરી બતાવી હતી. તેનાથી તેણે ભોગ્યકમ ઉપાર્જન કર્યું હતું. સુબાહુમુનિએ તેમની વૈયાવચ–ભક્તિ કરી અતિશય ભુજબળ ઉપાર્જન કર્યું હતું. બંને મુનિઓએ પૂર્વોક્ત પ્રકારે ભક્તિ કરતા સમ્યકત્વને સારી રીતે શોભાવ્યું ૧. એક જાતનું માપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy