SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી આત્મ પ્રબોધ સવ જિનેશ્વરની ત્રિકાળ પૂજા કરવા લાગી અને બીજા ધાર્મિક કાર્યો તથા તપસ્યા કરવામાં તે તત્પર બની ગઈ. કેટલાક સમય પછી દેવલોકમાં ઇંદ્રસભામાં સુલસાના ધાર્મિકપણાની પ્રશંસા કરવામાં આવી. તે વખતે એક મિથ્યાત્વી દેવતા તે પ્રશંસા સાંભળી શકો નહીં, તેથી તે સુલસાની પરીક્ષા કરવાને પૃથ્વી ઉપર આવ્યો. તે સાધુનો વેષ પહેરી સુલસાના ઘરમાં પેઠે. આ વખતે સુલસા પિતાના જિનેશ્વરપ્રભુની પૂજા કરવામાં આસક્ત હતી, તો પણ તેણીએ જ્યારે મુનિને ઘેર આવેલા જોયા, એટલે તે તત્કાળ બેઠી થઈ અને અતિશય ભક્તિપૂર્વક તેણે મુનિના ચરણકમળમાં વંદના કરી. સતીએ મુનિને વિનયથી પૂછયું, મહારાજ ! શું કારણે પધાર્યા છે ?” કપટી મુનિએ કહ્યું, “બાઇ, અમારી સાથે એક બીજા સાધુ છે, તેમને એક રોગ થયેલ છે. તે રોગનું છેદન કરવાને લક્ષપાક તેલ જોઈએ છે તેવું તેલ તમારા ઘરમાં હશે, માટે તે લેવા આવ્યો છું” | મુનિના આ વચનો સાંભળતા જ સતી સુલસા પિતાના ઓરડામાં ગઈ અને લક્ષપાક તેલનો એક ઘડે લાવી મુનિની આગળ મૂકો. તે ઘડાનું ઢાંકણ ઉઘાડવા માંડ્યું, તેટલામાં દેવના પ્રભાવથી તે ઘડે છુટી ગયો. આથી સુલસાના હૃદયમાં જરાપણ ખેદ થય નહીં. તે પાછી ઘરમાં જઈને બીજે ઘડો લાવી તે ઘડો ઉપાડતાં જ ભાંગી ગયે. તો પણ તે અખિન્ન હૃદયે પાછે ત્રીજો ઘડો લાવી. તે પણ પ્રથમની જેમ ભાંગી ગયે. હવે તેના ઘરમાં ચોથો ઘડે ન હતો, તેથી તે ઘડાનો અફસેસ ન કરતાં પોતાના મનમાં કહેવા લાગી કે, અરે ! હું કેવી નિર્ભાગી? આ મારૂં તેલ ગ્લાન મુનિના ઉપયોગમાં આવ્યું નહીં.” સતી સુલસાને આમ ચિતવતી જાણું. તેની ઉત્તમ ભાવના જોઈ તે દેવ પ્રસન્ન થઈ ગયા. તત્કાળ તેણે પિતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. તે બોલ્યો-“સતી શ્રાવિકા તમને ધન્યવાદ ઘટે છે. ઈન્દ્ર દેવતાની સભામાં તમારી પ્રશંસા કરી તે વખતે મેં અલ્પબુદ્ધિવાળાએ તેમાં શંકા કરી. પછી તમારી પરીક્ષા કરવા હું મુનિનો વેષ ધારણ કરી અહીં આવ્યા હતે. ઈન્દ્ર કરેલી પ્રશંસાથી પણ વધારે તમારામાં ધર્મની સ્થિરતા જોઈ હું સંતુષ્ટ થઈ ગયો , તેથી જે તમને ઈષ્ટ હોય તે માંગી લ્યો.' સતીસુલસાએ પ્રસન્ન થઈને કહ્યું, “દેવ! જે તમે મારી ઉપર સંતુષ્ટ થયા હો તો મને પુત્ર રૂપ વાંછિત વર આપ.” સતીની આ માંગણી ઉપરથી તે દેવતાએ તેણુને બત્રીસ ગુટિકાઓ આપી અને કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy