SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૦૧ કે, “તમારે આ ગુટિકાઓ અનુક્રમે ભક્ષણ કરવી તેથી તમારે તેટલા સુંદર પુત્ર થશે. તે સિવાય મારા ગ્ય કાંઈપણ કાર્ય આવી પડે તે મને સંભારજે” આટલુ કહી તે દેવ અદૃશ્ય થઈ ગયો. પછી સુલસાએ વિચાર કર્યો કે, આ ગુટિકાનું અનુક્રમે ભક્ષણ કરવાથી બત્રીસ પુત્રો થશે, તો તે પુત્રોના મળ મૂત્ર વિગેરે અશુચિને કોણ સાફ કરશે? અને તેમની સંભાળ શી રીતે થઈ શકશે. માટે આ બધી ગુટિકાઓ એક સાથે ખાવી વધારે સારી છે, તેમ કરવાથી બત્રીસ લક્ષણવાળે એક જ પુત્ર પ્રાપ્ત થશે. “આવું વિચારી સુલસા તે બત્રીસ ગુટિકાઓ એકી સાથે ખાઈ ગઈ. પછી સુલતાની ધારણું પ્રમાણે બન્યું નહીં. પણ દેવયોગે તેણીના ઉદરમાં બત્રીસ ગભર ઉત્પન્ન થયા. અનુક્રમે ઉદરની વૃદ્ધિ થવાથી સતી સુલસને ભારે પીડા થઈ. પીડા નહીં સહન કરી શકવાથી સુલસાએ કાયેત્સર્ગ કરી પેલા દેવતાનું સ્મરણ કર્યું. દેવતા ત્યાં હાજર થયે અને પોતાના સ્મરણનું કારણ પૂછયું. “સુલનાએ દેવની આગળ સવ વૃત્તાંત જણવ્યો.” દેવ બોલ્યો. “ભદ્ર ! એકી સાથે બત્રીસ ગુટિકા ખાધી, તે ઘણું અગ્ય કર્યું છે. હવે તારા ગર્ભમાં બત્રીસ બાળકો ઉત્પન્ન થયા છે. તેઓ બધા એકી સાથે અવતરશે અને સરખા આયુષ્યવાળા થશે. તે સર્વનું મરણ એક જ વખતે થશે. પરંતુ તું ગર્ભપીડાનો ભય રાખીશ નહીં. હું તને તે વિષે સહાય કરીશ.” આ પ્રમાણે કહી સુલસાનાં ગર્ભની પીડા હરી દેવ પિતાને સ્થાને ચાલ્યો ગયો. સુલસા ગર્ભની પીડા રહિત થઈ અને સુખે ગર્ભનું વહન કરવા લાગી. સમયપૂર્ણ થયે એટલે તેણીએ બત્રીસ લક્ષણવાળા બત્રીસ પુત્રને જન્મ આપ્યો. નાગારાથએ મોટા આરંભથી એ બત્રીસ પુત્રીનો જન્મોત્સવ કર્યો. અનુક્રમે તે તે બત્રીસ પુત્રી મોટા થઈ યૌવનવયને પામ્યા. સારથિએ તે બત્રીસ કુમારને રાજા શ્રેણિકની સેવામાં રાખ્યા. તેમની ઉત્તમ સેવાથી શ્રેણિક રાજા તેમની ઉપર સંતુષ્ટ હતા. એક દિવસે રાજા શ્રેણિકે પ્રથમથી સંકેત કરી ચેડારાજાની પુત્રી સુષાને ગુપ્ત રીતે લાવવાની યોજના કરી. યોજના પાર પાડવા ચંપાનગરીની સામે છુપી સુરંગ કરાવી. સુરંગ માગે નાગસારથિના બત્રીસ પુત્રોની સાથે રથમાં બેસી શ્રેણિકરા નગરના દરવાજામાં દાખલ થયા. રાજકુમારી સુષ્ઠાએ પણ પ્રથમ ચિત્રમાં જોયેલા મગધપતિ શ્રેણિકને આલેખી પિતાની નાની બેન ચલ્લણાને એ વૃત્તાંત કહ્યો હતો. ચલણ પિતાની બહેનના વિયેગને સહન કરવા અસમર્થ હતી, તેથી તે પણ રથમાં સાથે આવી. રસ્તામાં સુજ્યેષ્ટા પિતાના આભૂષણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy