SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ એક દિવસે નાગસારથિએ કઈ ઘરમાં ગૃહસ્થને પોતાના ઉસંગમાં પુત્રને રમાડતે જોયે. પોતે અપુત્ર હોવાથી તેને હૃદયમાં અતિશય દુઃખ થયું અને નતમસ્તકે આ પ્રમાણે મનમાં કહેવા લાગ્યો-“અહા ! હું કેવો મંદ ભાગ્યવાનું છું કે, મારે એક પણ પુત્ર નથી. આ ભાગ્યવાન પુરૂષને ધન્ય છે કે જેને હૃદયને આનંદ આપનારા ઘણું પુત્રી છે. “આવું ચિતવત નાગસારથિ પિતાને ઘેર આવ્યા. પિતાના પતિને આમ ચિંતા કરતો જોઈ સતી સલસાએ કહ્યું, “સ્વામીનાથ ! તમારા હૃદયમાં શી ચિંતા ઉત્પન્ન થઈ છે? તમારું ચિંતાતુર મુખ જોઈ મારા હૃદયને પરિતાપ થાય છે. માટે જે સત્ય હોય તે કહો.” નાગસારથિ મંદ સ્વરથી બોલ્યો-“પ્રિયા, આજે એક ગૃહસ્થને મેં પોતાના ઉલ્લંગમાં પુત્રને રમાડતો જોયો, તે ઉપરથી મને પુત્રની ચિતા ઉત્પન્ન થઈ આવી છે. આજ સુધી મારે કાંઈ પણ પુત્ર થયે નથી, એથી હું મારા આત્માને દુર્ભાગી માનું છું અને અત્યાર સુધી એક પણ પુત્ર પ્રાપ્ત થયો નહીં, એ મારા હૃદયને શલ્યની જેમ પડે છે. સ્વામીના આવા વચન સાંભળી સુલતાએ કહ્યું સ્વામી, ચિંતા કરશે નહીં. પુત્રને ઉત્પન્ન કરવા માટે તમે કોઈ બીજી કન્યાનું પાણિ ગ્રહણ કરે. કોઈ પણ રીતે તમારા મનની ચિંતા દૂર કરવી એ મારી ફરજ છે.” નાગસારથિ બોલ્યો-“પ્રિયે! એ વાત મારી આગળ કહીશ નહીં. આ જન્મમાં મારે તું એક જ પ્રિયા છે. તારા સિવાય બીજી સ્ત્રીને હું મનથી પણ ઈચ્છતો નથી. મારામાં પુત્ર દશનની અભિલાષા ઉત્પન્ન થઈ છે પણ તે પુત્ર તારી કુક્ષિથી ઉત્પન્ન થયેલો જ ઈચ્છું છું. બીજી સ્ત્રીથી ઉત્પન્ન થયેલા પુત્રને જોવાની મારી ઈચ્છા નથી. માટે તું સતી છે, તેથી કઈ દેવતાની આરાધના કરી તેની પાસે પુત્રનું વરદાન માગ, જેથી મારા મનોરથ સિદ્ધ થાય.” સુલસા પતિના આવા વચન સાંભળી બીલી,-સ્વામિનાથ! જો આપણા કર્મમાં પુત્ર હશે તો આપણને અવશ્ય પ્રાપ્ત થશે. તે સિવાય કદિ પણ પુત્રની પ્રાપ્તિ નહીં થાય. વાંછિત અથની સિદ્ધિ કરવાને માટે મન, વચન અને કાયાથી બીજા કઈ પણ દેવની આરાધના કરીશ નહીં. આપણે તો અરિહંતદેવની આરાધના કરીશું જે ભગવાન સર્વ ઈષ્ટ સિદ્ધિના કારણરૂપ કલ્પવૃક્ષ સમાન છે. હું સર્વ મનરને પૂરનારા આયંબિલ પ્રમુખ તપને આચરીશ. એનાથી આપણાં કાર્યની સિદ્ધિ થશે. કોઈ જાતની ચિંતા કરશે નહીં.” સતીના આ વચનો સાંભળી નાગ સારથિને આશ્વાસન મળ્યું. તે પછી સતી સુલસા આદિનાથ પ્રમુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy