SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રબંધ ફળ અકિરિય છે, અને અકિરિયનું ફળ સિદ્ધિ છે. શ્રુતજ્ઞાનથી હપાદેય પ્રમુખનું વિવેચનકારી શાન થાય છે. વિશેષજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન કહ્યું તેનું કારણ એ છે કે વિશેષ જ્ઞાનવાળે પુરૂષ પાપના પચ્ચકખાણ કરે છે. જ્યારે પચ્ચકખાણ કરવામાં આવે ત્યારે તેને સંયમ પ્રાપ્ત થાય છે. અણહને અર્થ અનાશ્રવ થાય છે. સંયમવંત પુરૂષને અનાશ્રવ હોય છે એટલે નવા કમને ગ્રહણ કરતો નથી. જ્યારે અનાશ્રવને લઈને તે લધુકર્મી થાય છે, ત્યારે તે તપસ્યા કરે છે. દાણનો અર્થ વ્યવદાન થાય છે. વ્યવદાન એટલે કર્મની નિરા. તપસ્યાથી પૂર્વના કમની નિજા થાય છે. અકિરિય એટલે યોગનિરોધ. કર્મની નિર્જરા થવાથી યોગને નિધિ થાય છે. તે પછી પર્યવસાને સિદ્ધિનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સમ્યક્ત્વના ત્રીજા ભૂષણ તીર્થસેવાનું ફળ જાણી સમકિતવંત પુરૂષોએ તેમાં પ્રવૃત્તિ કરવી. સમ્યકત્વનું ચોથું ભૂપણ. સમ્યક્ત્વનું ચોથું ભૂષણ સ્થિરતા છે. સ્થિરતા એટલે ચિત્તની ચપલતાનો અભાવ. જૈનધર્મને વિષે પોતાનું અથવા પરનું સ્થિરણું કરવું-દઢ ચિત્ત રાખી રહેવું. તે સ્થિરતા કહેવાય છે. પરતીર્થીઓની મહાન સમૃદ્ધિ જોવામાં આવે તે પણ સુલસાની પેઠે નિઃપ્રકંપ રહેવું, જિન વચન ઉપર અવિચલ શ્રદ્ધા રાખવી. તેવા જ દઢધમ કહેવાય છે. જે દઢધર્મી પુરુષો હોય છે, તેઓ અરિહંતના પ્રરુપેલા આગમમાં પ્રશંસનીય ગણાય છે. તે વિષે આગમમાં કહ્યું છે કે, “ચાર પ્રકારના પુરુષ હોય છે. ૧ પ્રિયધમ છે પણ દઢધમ નથી. ૨ દઢધમી છે, પણ પ્રિયધમ નથી. ૩ દઢધમ છે અને પ્રિયધમ છે અને ૪ દઢધમ નથી તેમ પ્રિયધમી પણ નથી. આ ચાર પ્રકારના પુરુષમાં ત્રીજો પ્રકાર સર્વોત્તમ છે. અને તે ભવ્ય પુરુષોએ ગ્રહણ કરવા ગ્ય છે. સ્થિરતા વિષે સુલસાને વૃત્તાંત જબૂદ્વીપના ભરતક્ષેત્રને વિષે મગધ નામે દેશ છે. તે દેશની રાજધાની રાજગૃહી નગરી છે. તે નગરીમાં પ્રસેનજિત નામે રાજા રાજ્ય કરે છે. તે સર્વ ઉચિતકળામાં કુશળ છે. તેને નાગ નામે એક સારથિ હતા. તે રાજા પ્રસેનજિતના ચરણકમળની સેવામાં સદા તત્પર રહેતું હતું. તેને સુલસા નામે સ્ત્રી હતી. તે પતિવ્રતા અને જૈનધમ ઉપર પૂર્ણ રાગી હતી. તે ગુણવતી બાળા સર્વદા શુદ્ધ નિષ્ઠાથી દેવભક્તિ અને પ્રતિભક્તિ કરતી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy