SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રોાધ ૯૬ ય સંસવળ'' ઈત્યાદિ ગાથા બેલી કહ્યુ ભદ્ર, એ રેખાથી અમારા જાણવામાં આવે છે કે, “તારા જન્મ શુક્લપક્ષમાં છે. તારા ગ્રહેા સમભાવને ભજનારા થશે.” તત્કાળ કમળ ચમત્કાર પામી પોતાને ઘેર આવ્યા. તેણે જન્મપત્રિકા લઈ ગુરુને બતાવી. ગુરુએ જન્મપત્રિકામાંથી પૂર્વે કહેલા ગ્રહાને બતાવી દીધા. અને કહ્યું તારા અમુક વર્ષ વિવાહ થયેલા છે અને અમુક વર્ષે તને તાવની પીડા થઇ હતી.” આ પ્રમાણે ગુરુનુ વચન સાંભળી કમળ ચમત્કાર પામ્યા, ઘેર આવી પિતાને જણાવ્યુ કે, “ગુરુ ખરેખર ત્રિકાળજ્ઞાની છે.” તે પછી કમળ દરરોજ ગુરુને વંદના કરવા જતા, આચાય તે જ નગરમાં ચાતુર્માસ રહ્યા. તેએ હંમેશાં કૌતુક ભરેલી કથાએ કહી ધર્મપદેશ આપવા લાગ્યા, આથી કમળને ધની વિશેષ જાણ થવા લાગી, તેના હૃદયમાં આહુતધર્મ ઉપર શ્રદ્ધા થઈ. અનુક્રમે તેણે શ્રાવકના ખાર ત્રતા ગ્રહણ કર્યા. ગુરુની કૃપાથી તે પિતા કરતાં પણ વધારે ધમ પર દૃઢતાવાળા થયા. ચાતુર્માંસ વીત્યા પછી આચાય ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા. કુમાર કમળ શ્રાવકધમ ને ચિરકાળ પાળી સતિનુ પાત્ર થયા હતા. આ ઉપરથી સમજવાનુ કે, બીજાએએ પણ ભવ્ય વેાના ઉપકાર કરનારૂ' શ્રી જૈન શાસનને વિષે કુશળપણુ' રાખવું; તેમ કરવાથી સમ્યક્ત્વરત્ન એ જગતમાં નિઃસીમ શેાભાને ધારણ કરનારૂ થાય છે. એ પ્રમાણે જિનદર્શનમાં કુશળપણારૂપ સમ્યક્ત્વના પહેલા ભૂષણ ઉપર શ્રાવકપુત્ર કમળને પ્રતિબેાધ કરનાર આચાર્યનુ' દૃષ્ટાંત કહેવામાં આવ્યુ, સમ્યક્ત્વનું બીજું ભૂષણ, સમ્યક્ત્વનુ' બીજી ભૂષણ શ્રી જિનશાસન પ્રભાવના છે. આગમાદિકના બળથી અથવા જ્ઞાનના મળથી શ્રી જિનશાસનનુ વિશેષ દીપકપણુ' કરવું', તે જિનશાસનની પ્રભાવના છે. પૂર્વે આઠ પ્રભાવકના ભેદથી તે આઠ પ્રકારે કહેવામાં આવ્યુ છે. પૂર્વે` કહેલાનુ' અહીં પુનઃ જે ગ્રહણ કરવામાં આવ્યું, તે પેાતાને અને પરને ઉપકારકારી હાઇને તેમજ તીથકર નામકમ બાંધવાને લઇને તેનું પ્રાધાન્ય જણાવવાને માટે છે. તેમ વળી જે વચના સદ્ભુત અને પ્રકાશ કરનારા અને રાગદ્વેષને દૂર કરનારા છે, તેને વારવાર ગ્રહણ કરવામાં કાંઇપણ દેષ નથી; કારણ કે, તે સદ્બોધની વૃદ્ધિનુ કારણરૂપ છે. તે વિષે શ્રી ઉમાસ્વાતિવાચક મહારાજાએ પ્રશમતિ પ્રકરણમાં કહ્યું છે, Jain Education International "ये तीर्थकृत्प्रणीता, भावास्तदनंतरैश्च परिकथिताः । तेषां बहुशोऽप्यनुकीर्तनं भवति पुष्टिकरमेव ॥ १॥" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy