SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ આચાર્યું કલ્યાણ મંદિર સ્તોત્ર રચવાનો આરંભ કર્યો. જ્યારે તેમણે અગીયારમાં લોકનું આદિપદ “મિન કમૃતચોdf સૂતકમાવાર આ પ્રમાણે કહ્યું, ત્યારે તત્કાળ પૃથ્વી કંપાયમાન થવા લાગી. અને અગ્નિનો ધુમાડો નીકળવા લાગ્યો. ક્ષણવારમાં તે શિવલિંગના બે કટકા થયા અને તેમાંથી તેજનો સમૂહ ચારે તરફ પ્રસરી ગયે. તેમ થતાં જ તેમાંથી ધરણેન્દ્ર સહિત શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા પ્રગટ થઈ આવી. આચાર્યો તે સ્તોત્રને સંપૂર્ણ કરી આ પ્રમાણે કહ્યું. “રાજનું અહીં પ્રથમ અવંતિ સુકમાલને લોક પ્રસિદ્ધ પુત્ર હતો. તેના પિતા નલિની ગુલ્મ વિમાનમાં ગયા હતા. તેઓ જે સ્થાને કાત્સગ કરીને રહ્યા હતા, તે સ્થાને તેણે મહાકાલ નામે લોક પ્રસિદ્ધ નો પ્રાસાદ કરાવી આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. કેટલોક કાળ ગયા પછી મિથ્યાદષ્ટિએ તે પાશ્વનાથના પ્રતિબિંબને આચ્છાદિત કરી તે ઠેકાણે આ શિવલિંગની સ્થાપના કરી દીધી હતી. અત્યારે મારી આ સ્તુતિના પ્રભાવથી લિંગ ફાટી તેમાંથી આ પ્રતિમા પ્રગટ થઈ છે. આચાર્યના આ વચન સાંભળી વિક્રમ રાજાના હદયમાં ચમત્કાર સાથે હર્ષ ઉત્પન્ન થઈ આવ્યો. તત્કાળ તે જ વખતે રાજાવિક્રમને જિનેક્ત તત્ત્વના સ્વરૂપ ઉપર પૂર્ણ શ્રદ્ધા થઈ અને તેને સમ્યકત્વરત્નની પ્રાપ્તિ થઈ આવી. ઉદાર મહારાજાએ તેજક્ષણે તે પાર્શ્વનાથ પ્રભુની નિત્ય પૂજાના નિર્વાહ માટે એકસો ગામ અર્પણ કર્યા અને પોતે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. આચાર્ય સિદ્ધસેન દિવાકરે મહારાજા વિક્રમની આજ્ઞા માં વનારા બીજા અઢાર રાજાઓને પ્રતિબંધ કર્યા. આચાર્યના ગુણોના સમૂહથી રંજિત થયેલા વિક્રમ રાજાએ આચાયને બેસવા માટે એક પાલખી ભેટ કરી હતી. તે પછી તે મહાન આચાય તે પાલખીમાં બેસી નિરંતર રાજદ્વારમાં જતા હતા. તે પછી વૃદ્ધવાદી આચાર્યના સાંભળવામાં આવ્યું કે, સિદ્ધસેન દિવાકર જે કાર્ય કરવા માટે ગયા હતા, તે કાર્ય સિદ્ધ થઈ ગયું છે, પરંતુ તેઓ પ્રમાદરૂપી કાદવમાં મગ્ન થઈ ગયા છે. રાજમાનના પાશમાં સપડાઈ ગયા છે, માટે મારે ત્યાં જઈ પ્રતિબોધ આપો, તેમને પ્રમાદમાંથી મુક્ત કરી સન્માર્ગે દોરવા.” આવું વિચારી વૃદ્ધવાદી ગુરુ વિહાર કરી ઉજ્જયિની નગરીમાં આવ્યા. સિદ્ધસેન રાજમાનના પાશમાં સપડાઈ ગયા હોવાથી ગુરુ પાસે જઈ શક્યા નહીં. તેથી વૃદ્ધવાદી આચાર્ય પાલખી ઉપાડનાર ભેઈનું રૂપ ધારણ કરી દ્વારે ઉભા રહ્યા. જ્યારે સિદ્ધસેન સૂરિ પાલખીમાં બેસી રાજભુવન તરફ જતા હતા, ત્યારે વૃદ્ધવાદી સૂરિજીએ એક ભાઈને બદલે પોતે પાલખી ઉપાડી અને વૃદ્ધપણાને લઈને તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy