SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ શ્રી આત્મપ્રબોધ તે તેવી વસ્તુને શા માટે ન આપે? કહેવાનો આશય એવો છે કે, તે કદિ પણ રણભૂમિમાંથી પાછો ફર્યો નથી કે જેથી તારા શત્રુઓ તારી પીઠ જુએ અને તે કદિ પણ પરસ્ત્રીને છાતી સાથે દબાવી નથી કે જેથી તે તારી છાતીને મેળવે.” આ લેક સાંભળી સંતુષ્ટ થયેલા રાજા તત્કાળ પિતાના સિંહાસન ઉપરથી ઉભો થયો અને તેણે ચારે દિશાઓનું રાજ્ય સૂરિવરને આપવા માંડ્યું. ત્યારે સૂરિ સિદ્ધસેન દિવાકરે કહ્યું: “રાજન ! મારે રાજ્યની કોઈ જરૂર નથી.” રાજાએ પૂછયું; “ત્યારે તમારે શું જોઈએ છે?” સૂરિજી બેલ્યાઃ “હું માત્ર એટલું માનું છું કે જ્યારે હું તમારી પાસે આવું, ત્યારે તમારે મારા મુખથી ધર્મ સાંભળો.” રાજાએ તે વાત અંગીકાર કરી તે પછી આચાર્ય સિદ્ધસેનદિવાકર પોતાને સ્થાને ચાલ્યા ગયા. એક વખતે આચાર્ય સિદ્ધસેન ઉજયિની નગરીમાં આવેલા મહાકાલ શંકરના પ્રાસાદમાં જઈ તે શંકરના લિંગ સામે પગ કરી સૂઈ ગયા હતા. પ્રાતઃકાળે શંકરના પૂજારીઓએ આવી તેમને પોકાર કરી ઉઠાડવા માંડ્યા, તો પણ તેઓ ઉક્યા નહીં. લોકોએ આ જોઈને રાજાની આગળ ફરીયાદ કરી કે, રાજેન્દ્ર! કઈ ભિક્ષુક મહાકાલ શિવલિંગની સામે પગ કરીને સુતો છે. અમોએ તેને ઘણું કહ્યું તે પણ તે ઉઠતે નથી.” રાજા વિક્રમે હુકમ કર્યો કે, તેને મારીને કાઢે.' તત્કાળ રાજાની આજ્ઞા મેળવી છે કે ત્યાં આવ્યા અને ચાબુક તથા લાકડીએના પ્રહારથી સિદ્ધસેનને મારવા લાગ્યા. જેમ જેમ તે આચાર્યના શરીર ઉપર ઘા પડવા માંડયા, આથી જમાનામાં કોલાહલ ઉઠયો અને તે સાંભળી રાજા ત્યાં દોડી આવ્યા અને આશ્ચર્યથી પૂછવા લાગ્યા કે, “આ શું થયું ?” તેવામાં કોઈએ રાજાને આવીને જણાવ્યું કે, મહારાજ ! કોઈ મહાકાલ પ્રાસાદની અંદર ભિક્ષુકને તાડના કરે છે, તે તાડનાના પ્રહારો અંતઃપુરમાં રાણી સાહેબાને વાગે છે. રાજા તત્કાળ મહાકાલ પ્રાસાદમાં ગયે, ત્યાં તેમણે સિદ્ધસેન આચાર્યને જોયા અને તત્કાળ ઓળખી લીધા. તત્કાળ તેમણે લેકોને તાડના કરતાં અટકાવ્યા અને પછી બધો વૃત્તાંત સાંભળ્યો. રાજાએ આચાયને પૂછયું કે, “તમે મહાદેવના લિંગ ઉપર ચરણ શા માટે મુક્યા હતા ? આ મહાદેવ એ માટે દેવ છે અને સ્તુતિ કરવા ચોગ્ય છે.” આચાર્યે કહ્યું: “રાજન મહાદેવ તે અનન્ય દેવ છે. જે મહાદેવ છે તેની હું સ્તુતિ કરું છું, તે તમે સાવધાન થઈને સાંભળે.” આ પ્રમાણે કહી સિદ્ધસેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy