SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ સિદ્ધિઓ જેને પ્રાપ્ત થાય, તે સિદ્ધ નામે સાતમાં પ્રભાવક કહેવાય છે. તે સિદ્ધ ચમત્કાર ભરેલા સંઘાદિક કાર્યો સાધવાને માટે અને તે ચમત્કાર દ્વારા મિથ્યાત્વને નાશ કરવા માટે તેમજ શાસનની પ્રભાવના વધારવાને માટે અવસર પ્રમાણે તે ચૂર્ણ અંજન વિગેરેને જોડવામાં કુશળપણું બતાવે છે. તેવા સિદ્ધમાં આસમિત આચાર્ય વગેરેના વૃત્તાંત પ્રખ્યાત છે. તેઓ શાસનનાં સાતમા પ્રભાવક જાણવા. આર્યસમિતસૂરિની કથા.. આભીરદેશમાં અચલપુર નામે એક નગર છે. તે નગરમાં જિનશાસનને દીપાવનારા અને મોટી સમૃદ્ધિમાન ઘણાં શ્રાવકે રહે છે. તે અચલપુરની સમીપે કન્યા અને વીણા નામની બે નદીઓ આવેલી છે. તે નદીઓને મધ્ય ભાગે એક બ્રહ્મદીપ છે. તેની અંદર ઘણું તાપસ વસે છે. તે તાપમાં એક તાપસ પાદલેખની ક્રિયાને વિષે પ્રવીણ છે. તે હંમેશાં પાદલેપ કરી સ્થળમાગની જેમ જલ માર્ગે ચાલતો હતો. તે ક્રિયાથી લોકોને અતિ આશ્ચર્ય પમાડતો તે તાપસ વેણુ નદી ઉતરી પારણું કરવાને અચલપુરમાં આવતો હતો. ભેળા લેક તે તાપસને આ ચમત્કાર દેખી દુઃસહ એવા મિથ્યાત્વના તાપથી તપેલા હોવાથી પાડાની જેમ તેના દશનરૂપ કાદવમાં ખુચી ગયા. તે લેક જિનમતની શ્રદ્ધાવાળા શ્રાવકોને જિનમતની અવગણના કરતા આ પ્રમાણે કહેવા લાગ્યાશ્રાવકો, જુવા, અમારા શાસનને વિષે ગુરુનો જેવો પ્રત્યક્ષ પ્રભાવ છે, તેવો તમારા શાસનમાં નથી; તેથી અમારા ધર્મની સમાન બીજો કોઈ ધર્મ નથી.” તેમના આ વચન સાંભળી “એ ભોળા લેકેનું મિથ્યાત્વને વિષે સ્થિર થવા પણું ન થાઓ” એમ ચિતવી તે શ્રાવકે તે મિથ્યાત્વીઓના વચનને અનેક યુક્તિઓથી પ્રતિહત કરી તે તાપસને દૃષ્ટિથી પણ જતા નહીં. એક દિવસે આચાર્યપણાના સંપૂર્ણ ગુણથી અલંકૃત અને અનેક સિદ્ધિઓથી સંપન્ન એવા શ્રી વજસ્વામીના મામા શ્રી આયસામિતસૂરિ ત્યાં આવી ચડ્યા. તેમના આગમનનો વૃત્તાંત સાંભળી નગરના સર્વ શ્રાવકોએ મોટા આડંબરથી સામા જઈ તેમના ચરણકમળને વિષે વંદના કરી. પછી તે શ્રાવકોએ પેલા તાપસે કરેલી જિનશાસનની લધુતાને વૃત્તાંત દીન વચનથી સૂરિજીને નિવેદન કર્યો. તે સાંભળી આયસમિતગુરુએ તે શ્રાવકોને આ પ્રમાણે કહ્યું, “ શ્રાવકે, એ કપટી તાપસ પારલેપની ક્રિયાથી મૂઢ લોકોને ઠગે છે; તેનામાં બીજી કોઈ જાતની તપશક્તિ નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy