________________
સ્વામી અને વિષ્ણેશ્વર પાર્શ્વનાથની આરસની દિવ્ય પ્રતિમાઓ છે. તદુપરાંત પંચ ધાતુની મૂર્તિઓ તથા સિદ્ધચક્ર પણ છે. વિશાળ રંગમંડપ સુંદર કાઇકામથી સુશોભિત છે. તેનાં છત અને સ્તંભો પર વિવિધ વાજિંત્રો વગાડતી પાંખોવાળી પરીઓ છે. ઉપરના કક્ષમાં ચોમુખજી અને અન્ય તીર્થકરોની પ્રતિમાઓ, લાકડાની સુંદર કોતરણી અને ભીંતમાં જડેલાં પચિત્રો છે. ત્રીજે માળે પણ તીર્થકરોની પ્રતિમાઓ, લાકડાની કોતરણીવાળો મંડપ, લઘુચિત્રો અને અલંકરણોથી સજ્જ ગોખલાઓ છે.
આ મંદિર વિશે એક કિંવદન્તિ છે કે સૌરાષ્ટ્રના ઘોઘા બંદરેથી કોઈ કારણવશાત્ ઘાસમાં લેપટી બાંધી બે મૂર્તિઓ દરિયામાં પધરાવી દેવામાં આવી હતી. આ મૂર્તિઓ કોઈ માછીમારને ઓલપાડ નજીક મળી આવી હતી. માછીમારને આ મૂર્તિઓ જૈનોના ભગવાનની લાગવાથી જૈનોને સોંપી. જૈનોએ આ મૂર્તિઓ સમક્ષ ચિઠ્ઠી મૂકતાં નક્કી થયું કે આદીશ્વર ભગવાનની મૂર્તિ રાંદેરમાં અને શાન્તિનાથ ભગવાનની પ્રતિમા ઓલપાડમાં પધરાવવી. તે પ્રમાણે આદીશ્વર ભગવાનની પ્રતિમા આ મંદિરના ગર્ભગૃહ મધ્યે પ્રસ્થાપિત છે. કલાકારીગરી અને ચિત્રકામ ગર્ભગૃહમાં ઉત્તર તરફની ભીંત પર વિશાળ વર્તુળાકાર નંદીશ્વર દ્વીપનું ચિત્ર છે. ચિત્ર લગભગ નષ્ટપ્રાય સ્થિતિમાં છે. આ ચિત્રના ઉપરના ભાગમાં ગુજરાતીમાં લખાણ છે : “નંદીશ્વર દ્વીપ સંવત ઓગણીસો ત્રેવીસ, ફાગણ સુદ ૧૧ને વાર શનિ, કારભારી સેટ ભીખા જેસંગ, ચિતારો આનંદરાવ વડોદરા.” એટલે આ ચિત્ર લગભગ ૧૨૭ વરસ જૂનું છે. સદ્ભાગ્યે આ ચિત્રમાં કોઈ પ્રકારનો સુધારો કે સમારકામ થયું નથી. આ ચિત્રનો વ્યાસ ૬ ફૂટનો છે. અહીં, ક્યાંય જોવા ન મળે કે જવલ્લે જ જોવા મળતું ચિતારા - ચિત્રકારનું નામ ઉલ્લેખવામાં આવ્યું છે. ઐતિહાસિક સન્દર્ભમાં આ મુદો મહત્ત્વનો બની રહે છે. તે સમયના ચિત્રકારો, તેમની સ્કૂલ - ઘરાનો, રંગસંયોજનશૈલી વગેરે વિષેના અનેક તથ્યો ચિત્રકારના નામોલ્લેખથી સામે આવે છે એ નોંધવું જોઇએ.
નંદીશ્વર દ્વીપ આઠમો દ્વીપ છે. આ ચિત્રના મધ્યમાં વિશાળ ઘુમ્મટ અને ફરફરતી ધજાથી શોભિત મંદિરમાં તીર્થકરોની પ્રતિમા છે. દેવો હાથ જોડીને એમની સ્તુતિ કરે છે. આકાશમાં ઊડતી પાંખોવાળી પરીઓ શહનાઈ (ભૂંગળ) જેવું વાજિંત્ર વગાડી રહી છે. મંદિરની બન્ને બાજુએ વિશાળ, ઉત્તુંગ શિખરોવાળા પર્વતો છે, જે સઘન વૃક્ષોથી છવાયેલા છે. પર્વતની કંદરામાં વાઘ વગેરે હિંસક પ્રાણીઓ અને હરણાં, મૃગ, સસલાં જેવા અહિંસક પ્રાણીઓ છે. નીચેની બંને બાજુએ ત્રણ ત્રણ વર્તુળાકારમાં મનુષ્યતર અને દધિમુખ પર્વતો છે. વાવડીઓ પણ ચિત્રિત છે. બન્ને બાજુએ આકાશગામી સજ્જ રથોમાં દેવતાઓ ભગવાનનાં દર્શનાર્થે આવી રહ્યા છે. એમાં સાત અશ્વારોહી સૂર્યનારાયણ, વિશાળ સર્પ પર, હાથીના રથ પર, જંગલી ભૂંડના રથ પર પણ દેવતાઓ છે. સાત સુંઢવાળા ગજરાજ પર ઇન્દ્રદેવ પ્રણામ કરે છે. બીજી બાજુ ઐરાવત, સર્પ, નાગ, ગરુડ વગેરેના રથી પર અન્ય દેવતાઓ દેખાય છે. આ બધા રથો, ફરકતી ધજાઓ અને રણકતી ઘંટડીઓથી શોભાયમાન છે. ચિત્રના કેન્દ્રમાં મૂળનાયક ભગવાન અથવા મૂળનાયક પદ્માસન સ્થિત ધ્યાનમુદ્રામાં વિરાજેલા છે. એની આસપાસ સેંકડોની સંખ્યામાં તીર્થકરોનાં ઘુમ્મટવાળા મંદિરો બિરાજમાન છે. અહીં ૨૫૦થી વધુ તીર્થકરોનું ચિત્રાંકન છે. આસપાસ દેવતાઓ સ્તુતિ કરે છે. નીચે એક તરફ વિશાળ મત્સ્ય પર અને મોર પર દેવો છે, બીજી બાજુ હરણ અને વાઘ પર દેવો બિરાજમાન છે.
આ વિશાળ ભીંતચિત્રની વિશેષતા જોઈએ તો ચિત્રસંયોજનામાં બન્ને બાજુ સરખું સુદૃઢ
8.
ન્ની
/ • જૈન રાઠ11-રિત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org